નવી દિલ્હીઃ દિલ્હી હાઈકોર્ટે નેશનલ હેરાલ્ડ અને યંગ ઈન્ડિયા મામલામાં કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીને રાહત આપવાનો ઈનકાર કરી દીધો છે. રાહુલ ગાંધીએ નેશનલ હેરાલ્ડ તથા યંગ ઈન્ડિયા વચ્ચે લેણ-દેણ સાથે જોડાયેલી ટેક્સ એસેસમેન્ટની ફાઇલ બીજીવાર ખોલવાના આદેશને પડકાર્યો હતો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રાહુલ ગાંધીના વકીલોએ કોર્ટને આગ્રહ કર્યો હતો કે આ મામલા સાથે જોડાયેલા મીડિયા કવરેજ પર પણ પ્રતિબંધ લગાવવામાં આવે. ન્યાયમૂર્તિ એસ રવીન્દ્ર ભટ્ટ અને ન્યાયમૂર્તિ એકે ચાવલાની પીઠે આ આગ્રહને પણ ઠુકરાવી દીધો છે. આ મામલે આગામી સુનાવણી 14 ઓગસ્ટે હાથ ધરાશે. 


શું છે મામલો
રાહુલ ગાંધીને આવકવેરા વિભાગે આ વર્ષે માર્ચમાં નોટિસ આપીને 2011-12 દરમિયાન ટેક્સ રી-એસેસમેન્ટ કરવા માટે કહ્યું હતું. આવકવેરા વિભાગનું કહેવું છે કે રાહુલ ગાંધીએ યંગ ઈન્ડિયાની ડાયરેક્ટરશિપ વિશે જાણકારી આપી ન હતી. બીજીતરફ રાહુલ ગાંધીના વકીલનું કહેવું છે કે કોઇ આવક થઈ નથી, અને કોઇ ટેક્સ આપવાનો થતો નથી. 


એડિશનલ સોલિસિટર જનરલ તુષાર મેહતા દ્વારા આ મામલામાં કોઇ વચગાળાનો આદેશ આપવાના ગાંધીના વકીલોની રજૂઆતનો વિરોધ કરવામાં આવ્યો. મેહતાએ પીઠને કહ્યું કે, આગામી સુનાવણીની તારીખ સુધી આવકવેરા વિભાગ ગાંધી વિરુદ્ધ કોઇપણ દબાણ કરવાની કોઇ કાર્યવાહી કરશે નહીં. 


યંગ ઈન્ડિયનના શેર
ગાંધીના વકીલે કોર્ટ પાસેથી કોઇ વચગાળાનો આદેશ ઈચ્છતા હતા કારણ કે, ટેક્સ એસેસમેન્ટ સાથે સંબંધિત મામલો ઇન્કમ ટેક્સ ટ્રિબ્યુનલમાં કાલે યાદીમાં છે. આવકવેરા વિભાગ અનુસાર ગાંધીની આવકનું વર્ષ 2011-12 માટે ફરીથી અંદાજ લગાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. તેવું એટલા માટે કરવામાં આવ્યું, કારણ કે તેમણે એ વાતનો ખુલાસો કર્યો ન હતો કે તે 2010થી યંગ ઈન્ડિયન કંપની પ્રાઇવેટ લિમિટેડના ડાયરેક્ટર હતા. આવકવેરા વિભાગ અનુસાર યંગ ઈન્ડિયનમાં ગાંધીની પાસે જે શેર છે તેની આવક 154 કરોડ રૂપિયા હશે, ન કે માત્ર 68 લાખ રૂપિયા, જેમ કે પહેલા એસેસમેન્ટ કરવામાં આવ્યું હતું.