નવી દિલ્હી: દિલ્હીના ઉપરાજ્યપાલ અનિલ બૈજલે અનલોક 3 હેઠળ હોટલોમાં સામાન્ય કામકાજ અને સાપ્તાહિક બજારોને અનુમતિ આપવા સંબંધી આમ આદમી પાર્ટી (આપ) સરકરે નિર્ણયને નકારી કાઢ્યો છે. સત્તાવાર સૂત્રોએ આ જાણકારી આપી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

તેમણે જણાવ્યું કે જેમ કે કોવિડ 19ની સ્થિતિ 'નાજુક' સ્થિતિ છે અને ખતરો પણ હજુ દૂર નથી. તો તેને ધ્યાનમાં રાખતાં ઉપ રાજ્યપાલે આ નિર્ણય લીધો છે. અરવિંદ કેજરીવાલ સરકારે શહેરમાં હોટલોને ફરીથી ખોલવાનો ગુરૂવારથી નિર્ણય કર્યો હતો. 


સામાજિક અંતરનું પાલન કરતાં કોવિડ 19થી બચવા માટે જરૂરી ઉપાયોને અપનાવતાં સાત દિવસ માટે પ્રાયોગિક આધાર પર સાપ્તાહિક બજારોને પણ પરવાનગી આપવામાં આવી હતી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube