Delhi Liquor Policy: દેશની રાજધાની દિલ્હીમાં લિકર પોલીસી પર વિવાદ અટકવાનું નામ લેતો નથી. ભાજપે આમ આદમી પાર્ટી પર હવે મોટો આરોપ લગાવ્યો છે. ભાજપના પ્રવક્તા સંબિત પાત્રાએ પ્રેસ કોન્ફરન્સ કરીને દિલ્હીના ડેપ્યુટી સીએમ મનિષ સિસોદિયાને પડકાર ફેંક્યો. તેમણે કહ્યું કે તમે બચી શકશો નહીં. દિલ્હીમાં કરોડો રૂપિયાનું કૌભાંડ થયું છે. દિલ્હીની આપ સરકારે તેનો જવાબ આપવો પડશે. ભાજપે આમ આદમી પાર્ટીને અનેક સવાલ કર્યા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આપ જવાબ આપતી નથી
સંબિત પાત્રાએ કહ્યું કે આમ આદમી પાર્ટી કુચેષ્ટા કરી રહી છે કે આમ તેમની વાતો કરીએ, પરંતુ જે મુદ્દાની વાત છે કે મનિષ સિસોદિયાએ કરોડો રૂપિયાનું કૌભાંડ કર્યું કે નથી કર્યું તેના પર કોઈ જવાબ આપતી નથી. જે પ્રકારની ગભરામણ આમ આદમી પાર્ટીમાં છેલ્લા કેટલાક દિવસથી જોવા મળી રહી છે તેનાથી કોઈ શક નથી કે મનિષ સિસોદિયાને લઈને આમ આદમી પાર્ટી ઘેરાયેલી જોવા મળી રહી છે. 


આ રાજ્યમાં ભાજપને જબરદસ્ત મોટો ઝટકો, દિગ્ગજ નેતાએ 6500 કાર્યકારો સાથે છોડી પાર્ટી


સિસોદિયા વિરુદ્ધ પુરાવા 
તેમણે કહ્યું કે મનિષ સિસોદિયાજી તમે બચી શકશો નહીં. કારણ કે ભ્રષ્ટાચાર વિરુદ્ધ લડત લડવી અને ભ્રષ્ટાચારીઓને અંજામ સુધી પહોંચાડવા તે દેશના બંધારણનો દાયરો છે. સિસોદિયાજી તમે ભ્રષ્ટાચાર કર્યો છે, તેના પુરાવા હાજર છે અને તપાસ થઈ રહી છે. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube