નવી દિલ્હી: નવા કૃષિ કાયદાના વિરોધમાં દિલ્હીની સિંઘુ બોર્ડર પર ચાલી રહેલા ખેડૂતોના આંદોલન સ્થળ પર એક વ્યક્તિની નિર્દયતાપૂર્વક હત્યાનો મામલો સામે આવ્યો છે. યુવકની ઓળખ પંજાબના તરનતારનના રહીશ લખબીર સિંહ તરીકે થઈ છે. હત્યા બાદ આ યુવકનો અંતિમ ઓડિયો સામે આવ્યો છે જે હચમચાવી નાખે તેવો છે. યુવક બર્બરતા આચરી રહેલા લોકો પાસે કરગરી રહ્યો છે અને છોડી દેવા માટે દર્દનાક અપીલ કરી રહ્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વિચલિત કરે તેવો છે વીડિયો
લખબીર સિંહનો અંતિમ વીડિયો ખુબ જ વિચલિત કરે તેવો છે એટલે અમે તમને તે વીડિયો દેખાડી શકતા નથી પરંતુ ઓડિયો સંભળાવીએ છીએ. જેનાથી તમને બર્બરતાનો અંદાજ આવી શકશે. સિંઘુ બોર્ડર પર લખબીર સિંહની હત્યા કોણે અને શાં માટે કરી તે અંગે હાલ તપાસ ચાલુ છે. પોલીસે મૃતદેહને કબજે કરી અજાણ્યા લોકો વિરુદ્ધ એફઆઈઆર  દાખલ કરી છે અને તપાસ શરૂ કરી છે. ડેડબોડી સોનીપતના મોર્ચરીમાં રખાયું છે. 


સાંભળો લખબીર સિંહનો અંતિમ ઓડિયો...


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube