નવી દિલ્હી: રાજધાની દિલ્હીની સર ગંગારામ હોસ્પિટલમાં સતત ઓક્સિજનની અછતના પગલે ગંભીર સ્થિતિ સર્જાઈ રહી છે. આ બધા વચ્ચે હોસ્પિટલ પ્રશાસન તરફથી કરાયેલી વધુ એક અપીલ બાદ વહેલી પરોઢે  ગંગારામ હોસ્પિટલમાં તાકિદે ઓક્સિજનની આપૂર્તિ કરવામાં આવી. આમ હાલ પૂરતો તો હોસ્પિટલમાં દાખલ દર્દીઓના જીવ પર ખતરો ટળ્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

હોસ્પિટલે મોકલ્યા 4 જીવન રક્ષા સંદેશ
વાત જાણે એમ છે કે શનિવારે મોડી રાતે હોસ્પિટલ પ્રશાસને એકવાર ફરીથી જીવન રક્ષા સંદેશ (SOS) મોકલતા કહ્યું કે તેમની પાસે ફક્ત 45 મિનિટ પૂરતો ઓક્સિજન વધ્યો છે અને આ કારણે ત્યાં દાખલ લગભગ 100થી વધુ દર્દીઓના જીવન જોખમમાં છે. હોસ્પિટલે કહ્યું કે તેણે છેલ્લા 24 કલાકમાં ઓછામાં ઓછા ચાર SOS મોકલ્યા છે અને અહીં સતત સંકટની સ્થિતિ બનેલી છે. 


હોસ્પિટલે કહ્યું હતું કે તેમની પાસે ફક્ત 500 ઘનમીટર ઓક્સિજન વધ્યો છે જે લગભગ 45થી 60 મિનિટ જ ચાલશે અને 100થી વધુ દર્દીઓના જીવન જોખમમાં છે. 


Corona: અરવિંદ કેજરીવાલે અન્ય રાજ્યોના મુખ્યમંત્રીઓને લખ્યો પત્ર, ઓક્સિજન માટે માંગી મદદ


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube