Pandav Nagar Murder Case: દિલ્હીના પાંડવ નગરમાં મે મહિનામાં થયેલા હત્યાકાંડનું કોકડું ક્રાઈમ બ્રાન્ચે ઉકેલી નાખ્યું છે. પ્રેસ કોન્ફરન્સમાં દિલ્હી પોલીસે જણાવ્યું કે અંજન દાસના મૃતદેહના 10 ટુકડાં કરવામાં આવ્યા, જેમાંથી 6 મળી ગયા છે અને બાકીના 4ની શોધ ચાલુ છે. પત્ની અને પુત્રએ હત્યાની વાત કબૂલી લીધી છે. આરોપીઓએ કહ્યું કે તેમને વહુ-દીકરી પર ખરાબ નજરનો શક  હતો. વારદાત સસમયે આરોપીઓએ જે કપડાં પહેર્યા હતા તે પણ મળી આવ્યા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પત્ની અને પુત્રની ધરપકડ
ક્રાઈમ બ્રાન્ચે મૃતકની પત્ની અને પુત્રની ધરપકડ કરી લીધી છે. તપાસમાં સામે આવેલી જાણકારી મુજબ નશાી ગોળીઓ ખવડાવ્યા બાદ અંજન દાસની હત્યા કરવામાં આવી. ઘટનાના ખુલાસા બાદ વિસ્તારમાં ખળભળાટ મચી ગયો છે. 


મૃતદેહના ટુકડાં કરી ફ્રિજમાં રાખ્યા
પાંડવ નગરમાં રહેનારા અંજન દાસની હત્યા કરીને તેના મૃતદેહના ટુકડાં કરીને ફ્રિજમાં રાખવામાં આવ્યા હતા. ત્યારબાદ ટુકડાંને પાંડવ નગર અને પૂર્વ દિલ્હીના અલગ અલગ વિસ્તારોમાં ફેંકી દેવાયા હતા. મૃતદેહના ટુકડાં મળી આવ્યા બાદથી પોલીસ હત્યારાઓની શોધમાં હતી. આખરે અંજન દાસની હત્યા પાછળ તેની પત્ની અને પુત્રના નામનો ખુલાસો થયો. 


પત્ની-પુત્રએ આપ્યો ખૌફનાક ઘટનાને અંજામ
ક્રાઈમ બ્રાન્ચની તપાસમાં સામે આવ્યું છે કે હત્યાની આ ખૌફનાક ઘટનાને અંજનની પત્ની પુનમ અને તેના પુત્ર દીપકે કથિત રીતે અંજામ આપ્યો. મૃતક અંજન દાસની નશાની ગોળીઓ ખવડાવીને હત્યા કરવામાં આવી. મહિલાએ ગોળીઓ ખવડાવી અને પછી પુત્ર દીપકની મદદથી હત્યા કરી નાખી. 


બંને આરોપીઓએ હત્યા બાદ અંજન દાસના મૃતદેહના ટુકડાં પોતાના ઘરમાં ફ્રિજમાં છૂપાવીને રાખ્યા હતા અને પછી તે ટુકડાંઓને તક જોઈને પાંડવનગર સહિત પૂર્વ દિલ્હીના અલગ અલગ વિસ્તારોમાં ફેંકી દેતા હતા. દિલ્હી પોલીસે આસપાસ લાગેલા સીસીટીવી ફૂટેજની મદદથી આ મામલામાં મહિલા સહિત બે આરોપીઓની ધરપકડ કરી અને જે ફ્રિજમાં ટુકડાં રાખ્યા હતા તે ફ્રિજ પણ મેળવી લીધું છે. 


અત્રે જણાવવાનું કે દિલ્હી પોલીસને થોડા સમય પહેલા પૂર્વ વિસ્તારના પાંડવ નગરથી કેટલાક માનવ અંગો મળ્યા હતા. આ મામલાની તપાસ દરમિયાન આસપાસ લાગેલા સીસીટીવી ફૂટેજ ફંફોળવામાં આવ્યા તો એક મહિલા અને યુવક શંકાસ્પદ હાલતમાં જોવા મળ્યા હતા. પોલીસે તપાસ આદરીને બંનેની અટકાયત કરી પૂછપરછ કરી તો સાચું ઓકી નાખ્યું. 


પોલીસ પૂછપરછમાં આરોપીઓએ જણાવ્યું કે લગ્નેત્તર સંબંધોના કારણે આ હત્યાકાંડને અંજામ આપ્યો. અંજન દાસના અનેક મહિલાઓ સાથે સંબંધ હતા. તેના કારણે ઘરમાં પણ ઝઘડા થતા હતા. એક દિવસ પત્ની અને પુત્રએ મળીને અંજન દાસને મોતને ઘાટ ઉતારી દીધા. 


આ વીડિયો પણ ખાસ જુઓ...


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube