નવી દિલ્હી: દિલ્હીના અનાજ બજારમાં આજે સવારે થયેલા ભીષણ અંગ્નિકાંડમાં 43 લોકોના જીવ ગયાં. રાજકીય પક્ષો એકબીજા પર આરોપબાજી કરી રહ્યાં છે. જે ઈમારતમાં આગ લાગી હતી તેના માલિક રેહાનની અટકાયત કરીને પૂછપરછ બાદ હાલ ધરપકડ કરી લેવાઈ છે. રેહાન પર આઈપીસીની કલમ 304 અને 285 (બેદરકારી) હેઠળ કેસ દાખલ કરાયો છે. બિલ્ડિંગનો માલિક સવારથી ફરાર હતો. નોંધનીય છે કે કલમ 304નો ઉપયોગ culpable homicide માટે થાય છે. દોષિત સાબિત થતા 10 વર્ષની જેલની સજા કે આજીવન કેદ અને દંડની જોગવાઈ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જૂની દિલ્હીના ફિલ્મીસ્તાન વિસ્તારમાં ગેરકાયદેસર રીતે ફેક્ટરીઓ ચલાવવામાં આવી રહી છે. અનેક બિલ્ડિંગ માપદંડો કરતા વધુ ઊંચા કરાયા છે. ફેક્ટરી ચલાવવા માટે ફાયર ડિપાર્ટમેન્ટથી એનઓસીની જરૂર હોય છે પરંતુ અહીની ફેક્ટરીઓએ આવી કોઈ મંજૂરી લીધી છે. અહીંની ગલીઓ પણ ખુબ જ સાંકડી છે. કલ્પના કરી શકાય કે સાંકડી ગલીઓમાં બનેલી ઈમારતોમાં જો ફેક્ટરી ચાલતી હોય અને અકસમાત થાય તો લોકોને ભાગવા સુદ્ધા રસ્તો મળે નહીં અને કમોતે માર્યા જાય. ડોક્ટરોના જણાવ્યાં મુજબ ઘટનામાં મોટાભાગના લોકોના મોત શ્વાસ રૂંધાવવાના કારણે થયા છે. 


Delhi Fire: અત્યંત આઘાતજનક, કામની શોધમાં UP-બિહારથી આવેલા પીડિતો ઘેટા-બકરાની જેમ રહેતા હતાં


મૃતકોના પરિવારજનોને મળશે 10-10 લાખ વળતર- CM કેજરીવાલ
રાજ્યના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ (Arvind Kejriwal)એ મૃતકોના પરિજનો માટે 10-10 લાખ રૂપિયાના વળતરની જાહેરાત કરી છે. તો બીજી તરફ ઇજાગ્રસ્તોને 1-1 લાખ રૂપિયાની મદદ આપવામાં આવશે. 


આ VIDEO પણ ખાસ જુઓ...


દેશના વધુ સમાચારો વાંચવા કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube