દિલ્હીમાં મચ્છર ભગાડવા કે મારવા માટે ઉપયોગમાં લેવાતી કોઈલ અંગે ચોંકાવનારા સમાચાર આવ્યા છે. એક જ પરિવારના છ લોકોના મોત નિપજ્યા છે. આ ઘટના દિલ્હીના શાસ્ત્રીપાર્ક વિસ્તારમાં ઘટી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મળતી માહિતી મુજબ આ પરિવાર મચ્છર ભગાડતી કે મારતી કોઈલ લગાવીને આરામથી ઊંઘી રહ્યો હતો. જ્યારે તેઓ સૂઈ રહ્યા હતા ત્યારે તેમના શ્વાસમાં કાર્બન મોનોક્સાઈડ કે જે રાતભર મચ્છર ભગાડનારી કોઈલના બળવાથી ઉત્પન્ન થયો હતો તે જવાથી તેમના મૃત્યુ થયા. દિલ્હીના નોર્થ ઈસ્ટ ડીસીપીએ આ માહિતી આપી. હાલ પોલીસે મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી દીધા અને તપાસ શરૂ કરી દીધી છે. 


શું તમને ખબર છે? ટ્રેનની દરેક સિટીમાં છૂપાયેલો છે એક છૂપો કોડ


ઈન્દોર મંદિર દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 35 લોકોના મોત, સેનાએ સંભાળ્યો મોરચો


કરાચીની મુસ્લિમ યુવતીએ ભગવાન કૃષ્ણ માટે ગાયું 'કન્હૈયા' ગીત, જુઓ વીડિયો


પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ ઘટનાસ્થળ ફર્સ્ટ ફ્લોરનો એક રૂમ છે જેમાં કુલ 9 લોકો સૂઈ રહ્યા હતા. મૃતકોમાં 4 પુરુષ, એક મહિલા અને દોઢ વર્ષનો બાળક સામેલ છે. જ્યારે 2 લોકો સારવાર હેઠળ છે. જેમાંથી એક 15 વર્ષની છોકરી છે. એક વ્યક્તિને પ્રાથમિક સારવાર બાદ રજા આપી દેવાઈ છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube