નવી દિલ્હીઃ Delhi Flood Alert Areas: હરિયાણાના હથિની કુંડ બેરેજથી પાણી છોડ્યા બાદ યમુના નદીના જળસ્તરમાં ખુબ વધારો થયો છે. તમને જણાવી દઈએ કે પાણી છોડવાને કારણે દિલ્હીના નિચાણવાળા વિસ્તારમાં ભયાનક પૂરની સ્થિતિ ઉભી થઈ ગઈ છે. 


રાજધાનીમાં યમુનાનું જળ સ્તર ખતરાના નિશાનથી ઉપર 208.48 મીટરને પાર કરી ગયું છે. દિલ્હીના જે વિસ્તારમાં પાણી ભરેલું છે, ત્યાં પર તમામ સરકારી અને ખાનગી સ્કૂલ બંધ કરી દેવામાં આવી છે. દિલ્હી MCD હેઠળ આવતી દરેક સ્કૂલમાં 16 જુલાઈ સુધી રજા જાહેર કરી દેવામાં આવી છે. 


Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube