મુંબઈઃ Maharashtra News: મુખ્યમંત્રી એકનાથ શિંદે (Eknath Shinde)ના નેતૃત્વવાળી મહારાષ્ટ્ર સરકારમાં સામેલ થયા બાદ આખરે ડેપ્યુટી સીએમ અજીત પવારે (Ajit Pawar)પોતાની રાજકીય મહત્વકાંક્ષાનો ખુલાસો કરી દીધો છે. અજીત પવારે કહ્યુ કે તે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી બનવા ઈચ્છે છે જેથી જનતાના કલ્યાણ માટે પોતાની પાસે જે યોજનાઓ છે તેને લાગૂ કરી શકે. અજીત પવારે આ દરમિયાન કાકા શરદ પવાર (Sharad Pawar)નો પણ ઉલ્લેખ કર્યો છે. અજીત પવારે કહ્યુ કે શરદ પવાર અમારા માટે દેવતા છે, અમે તેમના આશીર્વાદ માંગીએ છીએ. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મહારાષ્ટ્રમાં NDA સરકારનો હિસ્સો બનેલા અજિત પવારે 2014માં ભાજપની જીતનો શ્રેય પીએમ નરેન્દ્ર મોદીને આપ્યો હતો. અજિત પવારે કહ્યું કે નરેન્દ્ર મોદીના કરિશ્માને કારણે જ 2014માં ભાજપ સત્તામાં આવી હતી.


કેન્દ્રીય મંત્રી ગડકરીની પેટ્રોલ પર મોટી જાહેરાત, કિંમત 15 રૂપિયે પ્રતિ લીટર થશે


અજીત પવારે કહ્યુ- તમે મને બધાની સામે ખલનાયકના રૂપમાં દેખાડ્યો. મારા મનમાં હજુ તેમના (શરદ પવાર) માટે સન્માન છે. તમે મને જણાવો, IAS અધિકારી 60 વર્ષની ઉંમરમાં નિવૃત્ત થઈ જાય છે... રાજનીતિમાં પણ ભાજપા નેતા 75 વર્ષની ઉંમરે નિવૃત્ત થઈ જાય છે. તમે લાલકૃષ્ણ અડવાણી અને મુરલી મનોહર જોશીનું ઉદાહરણ જોઈ શકો છો. તેણે નવી પેઢીને આગળ આવવાની તક આપી છે. તમે (શરદ પવાર) અમને તમારા આશીર્વાદ આપો. પરંતુ તમે 83 વર્ષના છો, શું તમે અટકવાના નથી? અમને તમારા આશીર્વાદ આપો અને અમે પ્રાર્થના કરીએ છીએ કે તમારી ઉંમર લાંબી થાય.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube