નવી દિલ્હીઃ DGCA Advisory for Indian Airlines: એર ઈન્ડિયાની (Air India) ફ્લાઇટમાં કોઈ યાત્રી દ્વારા અન્ય યાત્રી પર કથિત રીતે પેશાબ કરવાની બે ઘટનાઓ સામે આવતા લોકોમાં મોટા પાયે આક્રોશ જોવા મળ્યો હતો. આવી ઘટનાઓ બાદ હવે દેશના નાગરિક ઉડ્ડયન મહાનિર્દેશાલય (DGCA) એ ગંદી હરકત કરનાર યાત્રીકોનો સામનો કરવા માટે એરલાયન્સને એક એડવાઇઝરી જાહેર કરી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સુનિશ્ચિત એરલાઇન્સના સંચાલનના વડાને મોકલવામાં આવેલી માર્ગદર્શિકામાં, નિયમનકારે કહ્યું છે કે જ્યારે જરૂર પડે ત્યારે પ્રતિબંધિત ઉપકરણોનો ઉપયોગ કરવો જોઈએ. ડીજીસીએએ વધુમાં જણાવ્યું હતું કે તાજેતરના કેસોએ હવાઈ મુસાફરી પૂરી પાડતી એરલાઈન્સની છબીને કલંકિત કરી છે. ડીજીસીએના નિવેદનમાં કહ્યું કે, તાજેતરના દિવસોમાં ફ્લાઇટ દરમિયાન વિમાનમાં કેટલાક યાત્રીકો દ્વારા ખરાબ વ્યવહાર અને અયોગ્ય આચરણની કેટલીક ઘટનાઓ પર DGCA એ ધ્યાન આપ્યું છે. જેમાં તે જોવામાં આવ્યું કે પોસ્ટ હોલ્ડર્સ, પાયલટ અને કેબિન ક્રૂ સભ્ય યોગ્ય કાર્યવાહી કરવામાં નિષ્ફળ રહ્યાં છે. 


26 જાન્યુઆરીની પરેડ જોવાની ઈચ્છા છે? ઈ-પોર્ટલ થયું લોન્ચ, ઓનલાઇન બુક કરાવો ટિકિટ


3. ઓપરેશન હેડને સલાહ આપવામાં આવે છે કે તે પાયલટો, કેબિન ક્રૂ અને ડાયરેક્ટર-ઇન-ફ્લાઇટ સર્વિસને DGCA ને માહિતી આપતા યોગ્ય સાધનોના માધ્યમથી હરકત કરનાર યાત્રીનો સામનો કરવાના વિષય પર પોતાની સંબંધિત એરલાયન્સ વિશે સંવેદનશીલ બનાવે. 


4. રેગુલેટરે એરલાયન્સ દ્વારા નિયમોનું પાલન ન કરવાની સ્થિતિમાં આકરી કાર્યવાહીની ચેતવણી પણ આપી છે. 


આ ઘટનાઓ બાદ જાહેર કરી એડવાઇઝરી
આ એડવાઇઝરી ત્યારે આવી છે, જ્યારે એર ઈન્ડિયાની ફ્લાઇટમાં 2 યાત્રીકોએ ફ્લાઇટમાં સફર કરી રહેલા અન્ય યાત્રીકો પર કથિત રીતે પેશાબ કરી દીધુ. મીડિયા રિપોર્ટ પ્રમાણે આ પ્રકારની એક ઘટના 26 નવેમ્બરની ન્યૂયોર્ક-દિલ્હી ફ્લાઇટમાં થઈ, તો બીજી ઘટના 6 ડિસેમ્બરની પેરિસ-દિલ્હી ફ્લાઇટ દરમિયાન થઈ હતી. 


આ પણ વાંચોઃ 2024 માં દિલ્હીમાં ગાદી માટે ભાજપે બનાવ્યો આ પ્લાન, આ 160 સીટો મોદીને બનાવશે ફરી PM


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube