મુંબઇ : 2014માં લોકસભા ચૂંટણીમાં ઇવીએમ હેકિંગની માહિતી હોવાનાં કારણે ભારતીય જનતા પાર્ટી (ભાજપ) નેતા ગોપીનાથ મુંડેની હત્યા થઇ હોવાનો સાઇબર નિષ્ણાંત દ્વારા દાવો કરવામાં આવ્યા બાદ ભાજપ નેતાના ભત્રીજા અને રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (રાંકપા) નેતા ધનંજય મુંડેએ સોમવારે આ મુદ્દે તપાસ રૉ પાસે કરાવવાની માંગ કરી છે. મહારાષ્ટ્ર વિધાન પરિષદમાં વિપક્ષનાં નેતા મુંડેએ અમેરિકામાં રહેતા ભારતીય સ્વયંભૂ સાઇબર નિષ્ણાંતનાં દાવા પર આશ્ચર્ય વ્યક્ત કર્યું છે. 


ઉત્તરભારતમાં બરફ"વર્ષા"નો ડબલ એટેક, કમોસમી વરસાદથી દિલ્હીમાં અંધારપટ

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

શુઝાએ એવો પણ દાવો કર્યો હતો કે મુંડના મૃત્યુની તપાસ કરી રહેલ એનઆઇએ અધિકારી તંજીલ અહેમદ આ વાતની માહિતી મળ્યા બાદ હત્યાનો કેસ દાખલ કરવાની યોજના બનાવી રહ્યા હતા , પરંતુ તેની પણ હત્યા થઇ હતી હતી. ત્યાર બાદ આ સમગ્ર મુદ્દો જ દબાઇ ગયો હતો.