ભિંડ: દેશમાં હિન્દુ આતંકવાદની થિયરીને ચગાવનારા કોંગ્રેસના દિગ્ગજ નેતા દિગ્વિજય સિંહે એકવાર ફરીથી વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. દિગ્વિજય સિંહે કહ્યું કે 'પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી આઈએસઆઈ માટે મુસ્લિમોથી કરતા બિન મુસ્લિમો વધુ જાસૂસી કરી રહ્યાં છે.'  દિગ્વિજય સિંહે કહ્યું કે 'જે લોકો આઈએસઆઈ પાસેથી પૈસા લે છે તેઓ ભાજપ ભાજપ અને આરએસએસ પાસેથી પણ પૈસા લે છે.'


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કાશ્મીરમાં આતંકીઓ 'ઓફલાઈન એપ'નો કરે છે ઉપયોગ, પોસ્ટ કરે છે ફેક વીડિયો


મધ્ય પ્રદેશના ભિંડમાં મીડિયા સાથે વાતચીતમાં દિગ્વિજય સિંહે કહ્યું કે 'જેટલા પણ પાકિસ્તાન માટે જાસૂસી કરતા પકડાયા છે તે લોકો બજરંગ દળ, ભાજપ અને આઈએસઆઈ પાસેથી પૈસા લે છે. આઈએસઆઈ માટે જાસૂસી મુસલમાનો ઓછા કરે છે અને બિન મુસ્લિમો વધુ કરી રહ્યાં છે. તેના ઉપર થોડું ધ્યાન આપો.' દિગ્વિજય સિંહ મહારાણા પ્રતાપની પ્રતિમાનું અનાવરણ કરવા માટે ભિંડ આવ્યાં હતાં. 


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...