નવી દિલ્હી: કેટલાક રસીકરણ કેન્દ્રો બાળકો માટે COVAXIN ના ડોઝ બાદ 3 પેરાસિટામોલ 500 મિલિગ્રામની ગોળીઓ લેવાની સલાહ આપે છે. જ્યારે આ રસી બનાવનારી કંપની ભારત બાયોટેકનું કહેવું છે કે કોવેક્સીનની રસી લીધા બાદ કોઈ પણ પેરાસિટામોલ કે પેન કિલર ગોળી લેવી જોઈએ નહીં. 


કંપનીએ આ માટે નિવેદન બહાર પાડ્યું
ભારત બાયોટેક દ્વારા બહાર પાડવામાં આવેલા નિવેદન મુજબ પેરાસિટામોલ કે પેન કિલર દવાઓ જે બાળકોને હાલ કોવેક્સીનનો ડોઝ આપવામાં આવી રહ્યો છે તેમના માટે ઠીક નથી. ભારત બાયોટેકનું કહેવું છે કે ડોક્ટરની સલાહ બાદ જ કોઈ દવા આપવી જોઈએ. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube