શ્રીનગરઃ કાશ્મીરમાં આતંકીઓ વિરુદ્ધ ઓપરેશન ઓલઆઉટ ચલાવવામાં આવી રહ્યું છે. આ કડીમાં આજે એટલે કે સોમવારે શ્રીનગરમાં પોલીસે લશ્કર-એ-તૈયબાના ખુંખાર આતંકવાદી સલીમ પર્રેને ઠાર કરી દીધો છે. કાશ્મીરના આઈજી વિજય કુમારે ખુબ આ વાતની જાણકારી આપી છે. હજુ આ એનકાઉન્ટર અંગે વધુ વિગત સામે આવી નથી. 


કાશ્મીરના આઈજી વિજય કુમારે જણાવ્યુ કે, શ્રીનગરના શાલીમાર ક્ષેત્રમાં એક અથડામણ થઈ છે. એક જગ્યા પર આતંકી છુપાયેલા હતા. પોલીસને તેની સૂચના મળી તો તત્કાલ શાલીમાર ક્ષેત્રમાં પોલીસે ઘેરાબંધી કરી હતી. જે જગ્યા પર આતંકી છુપાયા હતા ત્યાંથી ફાયરિંગ શરૂ થયું. પહેલા આતંકીઓને આત્મસમર્પણ કરવા માટે ચેતવણી આપવામાં આવી હતી, પરંતુ આતંકીઓએ ધ્યાન આપ્યું નહીં અને ફાયરિંગ શરૂ કર્યું હતું. જવાબમાં પોલીસ તરફથી ફાયરિંગ કરવામાં આવ્યું અને અથડામણમાં લશ્કર-એ-તૈયબાના ખુંખાર આતંકી સલીમ પર્રેને ઢેર કરી દેવામાં આવ્યો છે. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube