રાંચી: ચર્ચિત ચારા કૌભાંડમાં સજા પામેલા રાષ્ટ્રીય જનતા દળના અધ્યક્ષ લાલુ પ્રસાદ યાદવ (Lalu Prasad Yadav) ની જામીન અરજી પર સુનાવણી આગામી 27 નવેમ્બર સુધી ટળી છે. ઝારખંડ હાઈકોર્ટના ન્યાયાધીશ ન્યાયમૂર્તિ અપરેશકુમાર સિંહની કોર્ટમાં આજે જામીન અરજી પર સુનાવણી દરમિયાન કોર્ટે સીબીઆઈને શપથપત્ર દાખલ કરવાના નિર્દેશ પણ આપ્યા છે. આ સાથે સુનાવણી માટે તારીખ 27 નવેમ્બર નિર્ધારીત કરી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Corona Update: દેશમાં સતત ઘટી રહ્યા છે એક્ટિવ કેસ, જાણો લેટેસ્ટ કોરોના અપડેટ


આરજેડી અધ્યક્ષ લાલુ પ્રસાદ તરફથી દુમકા કોષાગાર (Dumka treasury case) માંથી ગેરકાયદેસર રીતે ઉપાડાયેલા પૈસા કેસમાં જામીન અરજી દાખલ કરાયેલી છે. આ કેસમાં સીબીઆઈની વિશેષ કોર્ટે તેમને દોષિત ઠેરવીને 7 વર્ષની સજા સંભળાવી છે. સજા દરમિયાન સારવાર અર્થે લાલુને રિમ્સના કેલી બંગલામાં રાખવામાં આવ્યા છે. લાલુ તરફથી અરજીમાં જણાવાયું છે કે અડધી સજા પૂરી કરી લેવાઈ છે આથી તેમને જામીન આપવામાં આવે. આ ઉપરાંત તેમણે પોતાની બીમારીનો હવાલો પણ આપ્યો. લાલુ પ્રસાદના વકીલ તરફથી કોર્ટમાં અરજી આપીને કેસમાં જલદી સુનાવણીનો આગ્રહ કરવામાં આવ્યો હતો. 


સાઉદી અરબે ભારતીય શ્રમિકોને આપી 'દિવાળી ભેટ', કામદારોને મળશે હવે આ મહત્વના અધિકાર


નોંધનીય છે કે લાલુ પ્રસાદને ચારા કૌભાંડના 5 કેસોમાં આરોપી બનાવવામાં આવ્યા છે. જેમાંથી ચારમાં સજા થઈ છે. દેવધર અને ચાઈબાસા કોષાગારમાંથી ગેરકાયદેસર રીતે પૈસા ઉપાડવાના બે કેસ માં તેમને હાઈકોર્ટમાંથી અગાઉ જામીન મળી ચૂકયા છે. અન્ય એક કેસમાં વર્ષ 2013માં જ જામીન મળી ગયા હતા. જ્યારે દુમકા કોષાગારમાથી ઉપાડ કેસમાં જામીન અરજી પર આજે સુનાવણી થવાની હ તી. આ બાજુ ડોરંડા કોષાગારમાંથી પણ ઉપાડ મામલે સીબીઆઈની કોર્ટમાં સુનાવણી ચાલુ છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube