નવી દિલ્હી: નોઈડા, દિલ્હી, ગાઝિયાબાદ સહિત આસપાસના વિસ્તારોમાં ભૂકંપના આચંકા અનુભવાયા હતા. ગુરૂગ્રામ અને ફરિદાબાદમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા. સાંજે લગભગ પોણા છ વાગ્યાની આસપાસ ભૂકંપના આંચકા અનુભવાયા હતા. આ ભૂકંપના આંચકાની તીવ્રતા વધારે હોવાથી લોકો લોકડાઉનમાં પણ ઘરની બહાર નિકળી ગયા હતા. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 3.5 નોંધાઈ હતી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ભૂકંપના કારણે કોઈ જાનમાલનું નુકસાન થયું હોવાના સમાચાર હજુ સુધી પ્રાપ્ત થયા નથી. ભૂકંપનું કેન્દ્ર દિલ્હી જણાવવામાં આવી રહ્યું છે. ત્યારે તેનું કેન્દ્ર જમીનથી 8 કિલોમીટર નીચે હોવાનું જણાવવામાં આવી રહ્યું છે.


દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલે ટ્વિટ કરી કહ્યું કે, દિલ્હીમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે. ત્યારે આશા કરી રહ્યો છું કે, તમામ લોકો સુરક્ષિત છે. હું તમામની સુરક્ષિત હોવાનુ પ્રાર્થના કરું છું.


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube