નવી દિલ્હીઃ દિલ્હી સહિત દેશભરમાં આજે ચાંદ દેખાયા બાદ મુસ્લિમ સમુદાયના લોકો ઈદનો તહેવાર મનાવી રહ્યાં છે. આજે રમઝાનના પવિત્ર મહિનાનો છેલ્લો દિવસ છે. દેશના રાજકીય નેતા આ દિવસે દેશવાસીઓને ઈદની શુભેચ્છા આપી રહ્યાં છે. આ ક્રમમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને પૂર્વ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી સહિત અન્ય નેતાઓએ ટ્વીટ કરી શુભેચ્છા આપી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરી કહ્યુ કે ઈદ-ઉલ-ફિતરની હાર્દિક શુભેચ્છાઓ. આ શુભ અવસર આપણા સમાજમાં એકતા અને ભાઈચારાની ભાવનાને આગળ વધારશે. હું બધા દેશવાસીઓને સારા સ્વાસ્થ્ય અને સંપન્નતાની પ્રાર્થના કરુ છું. તો પૂર્વ કોંગ્રેસ અધ્યક્ષ અને વાયનાડથી સાંસદ રાહુલ ગાંધીએ કહ્યુ કે, ઈદ મુબારક! આ પાવન પર્વ પ્રેમની ભાવનાનો સંચાર કરે, અને આપણે બધાને ભાઈચારા અને સદ્ભાવના બંધમાં બાંધે. 


Delhi airport: દુનિયાનું બીજુ સૌથી વ્યસ્ત એરપોર્ટ બન્યું દિલ્હી હવાઈ મથક, દુબઈને પાછળ છોડ્યું 


આ સાથે રાજસ્થાનના સીએમ અશોક ગેહલોત, પંજાબના પૂર્વ મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહે દેશવાસીઓને ઈદની શુભેચ્છા આપી છે. 


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube