નવી દિલ્હી: પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણીને લઈને ચૂંટણી પંચે સોમવારે નવી ગાઇડલાઇન્સ બહાર પાડી છે. કોરોનાના વધતા જતા કેસો વચ્ચે પંચે ચૂંટણી પ્રચાર સંબંધિત પ્રતિબંધોમાં મોટી રાહત આપી છે. નવી સૂચનાઓ અનુસાર હવે ઉમેદવારો અને કાર્યકરો 20ની સંખ્યામાં ડોર ટુ ડોર પ્રચાર કરી શકશે. આવો તમને જણાવીએ કે પંચે રાજકીય પક્ષોને બીજી કઈ કઈ રાહત આપી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ચૂંટણી પંચે જાહેર કરી નવી માર્ગદર્શિકા
- પાર્ટી કે પાર્ટીના ઉમેદવારો હવે 1000 લોકો સાથે બેઠક કરી શકશે. તેમાં, સ્થાનિક એસડીએમની માર્ગદર્શિકાનું પણ ધ્યાન રાખવું પડશે.


- કોઈપણ રોડ શો, પદ-યાત્રા, સાયકલ/બાઈક/વાહન રેલી અને સરઘસ પર 11 ફેબ્રુઆરી, 2022 સુધી પ્રતિબંધ ચાલુ રહેશે.


- ડોર ટુ ડોર પ્રચાર માટે લોકોની સંખ્યા 10 થી વધારીને 20 કરવામાં આવી છે. આ દરમિયાન કોરોનાએ યોગ્ય વર્તનનું સંપૂર્ણ ધ્યાન રાખવું પડશે.

બજેટ પહેલાં શેર બજારમાં તેજી, 10 વર્ષોમાં પહેલીવાર થયો આ ચમત્કાર


- ઇન્ડોર મીટિંગ્સમાં હાજરી આપનાર લોકોની સંખ્યા 300 થી વધારીને 500 કરવામાં આવી છે. અહીં એ ધ્યાનમાં રાખવાનું રહેશે કે સભામાં હોલની ક્ષમતાના માત્ર 50% લોકો જ હાજર રહે. SDMA દ્વારા જારી કરવામાં આવેલી સૂચનાઓનું પણ ધ્યાન રાખવું પડશે.


રાજકીય પક્ષો અને ઉમેદવારોને કોરોના સંબંધિત યોગ્ય સારવાર અને માર્ગદર્શિકા સાથે જ પ્રચાર કરવાની મંજૂરી આપવામાં આવશે.


- આ ફેરફારો ઉપરાંત, 8 જાન્યુઆરી 2022 ના રોજ જારી કરાયેલ માર્ગદર્શિકાના તમામ સૂચનો અને નિયંત્રણો અમલમાં રહેશે.


પાંચ રાજ્યોમાં ચૂંટણીની તારીખ
ઉત્તર પ્રદેશમાં સાત તબક્કામાં ચૂંટણી યોજાશે. 10 ફેબ્રુઆરી, 14 ફેબ્રુઆરી, 20 ફેબ્રુઆરી, 23 ફેબ્રુઆરી, 27 ફેબ્રુઆરી, 3 માર્ચ અને 7 માર્ચ 2022ના રોજ મતદાન થશે. મણિપુરમાં બે તબક્કામાં - 27 ફેબ્રુઆરી અને 3 માર્ચે મતદાન યોજાશે. જ્યારે પંજાબ, ઉત્તરાખંડ અને ગોવામાં 14 ફેબ્રુઆરીએ માત્ર એક તબક્કામાં મતદાન થશે. મતગણતરી 10 માર્ચે થશે.


કયા રાજ્યમાં કેટલી બેઠકો?
ઉત્તર પ્રદેશ - 403 બેઠકો
પંજાબ - 117 બેઠકો
ઉત્તરાખંડમાં 70 બેઠકો
મણિપુર - 60 બેઠકો
ગોવા - 40 સીટો


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube