નવી દિલ્હીઃ નોકરી કરતા કર્મચારીઓ માટે સારા સમાચાર છે. એમ્પ્લોઈઝ પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઈઝેશન (EPFO) દ્વારા ગુરૂવારે પ્રોવિડન્ટ ફંડ પર આપવામાં આવતા વ્યાજદરમાં વધારાની જાહેરાત કરાઈ છે. વર્ષ 2018-19ની પીએફ ડિપોઝિટ પર ગત વર્ષના 8.55 ટકાની સામે 8.65 ટકા વ્યાજ આપવાની જાહેરાત કરાઈ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કામદાર મંત્રી સંતોષ ગંગવારે જણાવ્યું કે, આ સંસ્થા સાથે 6 કરોડથી વધુ કર્મચારીઓ જોડાયેલા છે અનેઈપીએફઓના કેન્દ્રીય બોર્ડ ઓફ ટ્રસ્ટી (CBT)ની બેઠકમાં ચાલુ નાણાકિય વર્ષ માટે વધુ વ્યાજ દર ચૂકવવાનો આ નિર્ણય સર્વાનુમતે લેવાયો હતો. 


હવે, નવજોત સિંહ સિદ્ધુના મુંબઈ ફિલ્મસિટીમાં પ્રવેશ પર પ્રતિબંધ લાગશે!


પીટીઆઈએ જણાવ્યું કે, CBTની મંજૂરી બાદ આ પ્રસ્તાવને મંજૂરી માટે નાણા મંત્રાલયને મોકલવામાં આવે છે. નાણા મંત્રાલયની મંજૂરી મળી ગયા બાદ જ પીએફ ધરાવતા કર્મચારીઓને વધેલા વ્યાજદરનો લાભ મળે છે. 


વર્ષ 2017-18માં છેલ્લા પાંચ વર્ષમાં સૌથી ઓછો 8.55 ટકાનો વ્યાજદર ચૂકવવામાં આવ્યો હતો. આ અગાઉ 2016-17માં વ્યાજદર 8.65 ટકા હતા, જ્યારે 2015-16માં 8.80 ટકા હતા. વર્ષ 2013-14 અને 2014-15માં ઈપીએફઓ દ્વારા 8.75 ટકાનો વ્યાજદર ચૂકવવામાં આવ્યો હતો. 


ભારતના વધુ સમાચાર જાણવા અહીં કરો ક્લિક...