નવી દિલ્હી: ઉત્તર પ્રદેશે એકથી એક ચડિયાતા કદાવર નેતાઓ આપ્યા છે. જેમણે દેશના રાજકારણ પર અમીટ છાપ છોડી છે. એટલું જ નહીં પાકિસ્તાનને પણ લોઢાના ચણા ચાવવા પર મજબૂર કર્યું હતું. આવા જ એક પૂર્વ નેતા હતા ચંદ્રશેખર. તેઓ પોતાના સમયમાં દેશમાં સમાજવાદી વિચારધારાના સૌથી મોટા નેતાઓમાંથી એક હતા. જો કે પીએમ તરીકે તેમનો કાર્યકાળ બહુ ન રહ્યો પરંતુ જેટલો પણ સમય હતો તેમાં તેમણે પાકિસ્તાનના તત્કાળ પીએમ નવાઝ શરીફની બોલતી બંધ કરી દીધી હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

નાના ગામથી રાયસીના હિલ્સ સુધી
ચંદ્રશેખર ઉત્તર પ્રદેશના બલિયા જિલ્લાના ઈબ્રાહિમપટ્ટી ગામના હતા. આ નાનકડા ગામથી દિલ્હીના રાયસીના હિલ્સ પર બનેલા પ્રધાનમંત્રી કાર્યાલય સુધી પહોંચવાની તેમની સફર ખુબ રોમાંચક હતી. તેમનું વ્યક્તિત્વ કમાલનું અને દમદાર હતું અને આથી જ તેમને યુવા તુર્ક પણ કહેવામાં આવતા હતા. તેમની એક ખાસિયત એ પણ હતી કે તેમને ઈન્દિરા ગાંધીથી લઈને અટલ બિહારી વાજપેયી સુધીના નેતાઓ પસંદ કરતા હતા. સામાન્ય રીતે કોઈ પણ નેતા માટે વિભિન્ન પાર્ટીઓના નેતાઓના પ્રિય બનવું લગભગ અશક્ય જેવું હોય છે. 


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube