Breaking News: કેન્દ્ર સરકારે રેમડેસિવિર ઈન્જેક્શનની નિકાસ પર પ્રતિબંધ લગાવ્યો
દેશમાં સતત વધી રહેલા કોરોના કેસ વચ્ચે કેન્દ્ર સરકારે મહત્વનો નિર્ણય લીધો છે. દેશમાં દર્દીઓની સ્થિતિ જોતા રેમડેસિવિર ઈન્જેક્શનની નિકાસ પર પ્રતિબંધ લગાવી દીધો છે.
નવી દિલ્હીઃ દેશમાં કોરોના વાયરસે ફરી ચિંતાજનક સ્થિતિ ઉભી કરી છે. એક તરફ દેશમાં વેક્સિનેશનનું કામ ચાલી રહ્યું છે તો બીજી તરફ નવા કેસ દરરોજ રેકોર્ડ બનાવી રહ્યાં છે. દેશના દરેક રાજ્યો કોરોનાથી પરેશાન છે. હોસ્પિટલોમાં જગ્યાઓ મળતી નથી. આ વચ્ચે કોરોનાની સારવારમાં ઉપયોગમાં આવતા રેમડેસિવિર ઈન્જેક્શનની માંગ ખુબ વધી રહી છે. લોકોને આ ઇન્જેક્શન મળી રહ્યાં નથી. આ વચ્ચે કેન્દ્ર સરકારે મોટો નિર્ણય લીધો છે. દેશમાંથી રેમડેસિવિર ઇન્જેક્શનની નિકાસ કરવા પર પ્રતિબંધ લગાવી દીધો છે.
COVID Tongue: કોરોના દર્દીઓની જીભ પર જોવા મળ્યા અજીબ લક્ષણ, આ રીતે કરો ઓળખ
દેશમાં આવશે નવી વેક્સિન
કોવિડ-19ના વેક્સિનની કમીના અહેવાલો વચ્ચે કેન્દ્ર સરકારે વેક્સિન ઉત્પાદન વધારવાની દિશામાં પગલા ભર્યા છે. ન્યૂઝ એજન્સી ANI એ સૂત્રોના હવાલાથી સમાચાર આપ્યા છે કે ઓક્ટોબર સુધી દેશમાં કોરોનાની વધુ 5 વેક્સિન ઉપલબ્ધ થઈ જશે. હાલમાં ભારતમાં માત્ર કોવિશીલ્ડ અને કોવેક્સિનનું ઉત્પાદન થઈ રહ્યું છે. રશિયામાં ડેવલોપ કરવામાં આવેલી સ્પતનિક વી વેક્સિનને આગામી જૂન મહિનામાં મંજૂરી આપવામાં આવી શકે છે.
કઈ પાંચ વેક્સિન આવવાની છે?
સ્પતનિક વી વેક્સિન
જોનસન એન્ડ જોનસન વેક્સિન
નોવાવૈક્સ વેક્સિન
ઝાયડસ કેડિલાની વેક્સિન
દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube