Jyotishacharya Murder in Karnataka: કર્ણાટકના હુબલીમાં હચમચાવી નાખતી ઘટના સામે આવી છે. જ્યાં શિષ્યના વેશમાં આવેલા બે શેતાનોએ ચાકૂથી તાબડતોડ વાર કરીને પ્રસિદ્ધ જ્યોતિષાચાર્ય ચંદ્રશેખરની હત્યા કરી નાખી. જ્યોતિષાચાર્ય હુબલીની પ્રેસિડેન્ટ હોટલમાં મહેમાનોને મળવા માટે હોટલની લોબીમાં આવ્યા ત્યારે હુમલાખોરોએ તેમના પર હુમલો કર્યો. કહેવાય છે કે ચંદ્રશેખર ગુરુજી મૂળ બાગલકોટના રહીશ હતા અને કોઈ કોટુંબિક મામલે હુબલી આવ્યા હતા. 


સીસીટીવીમાં કેદ થઈ હત્યાની આખી ઘટના
સરળ વાસ્તુ નામથી પ્રસિદ્ધ જ્યોતિષાચાર્ય ચંદ્રશેખરની હત્યાની સમગ્ર ઘટના સીસીટીવીમાં રેકોર્ડ થઈ ગઈ છે અને ફૂટેજમાં અપરાધીઓ ભાગતા જોવા મળી રહ્યા છે. પોલીસે ઘટનાસ્થળે પહોંચીને ઘટનાની તપાસ શરૂ કરી દીધી છે અને સીસીટીવી ફૂટેજ ફંફોળી રહી છે. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube