નવી દિલ્હી: ખેડૂતો સાથે જોડાયેલા કૃષિ બિલના વિરોધને લઇને ખેડૂતોએ ગૃહમંત્રીને રજૂઆત બાદ પોતાનો નિર્ણય સંભળાવી દીધો છે. ખેડૂતો સંગઠનોએ પોતાના નિર્ણયમાં કહ્યું છે, અમે ક્યારેય બુરાડી ગ્રાઉન્ડ જઇશું નહી અને દિલ્હીના તમામ 5 હાઇવે બ્લોક કરીને દિલ્હીને ઘેરાબંધી કરીશું. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પંજાબના ખેડૂત દિલ્હીની સીમા પર છે. આ દરમિયાન સિંધું બોર્ડર પર 30 ખેડૂત સંગઠનોની મીટિંગ થઇ છે. પહેલો રાઉન્ડ ખતમ થઇ ગયો છે અને આ દરમિયાન નક્કી થયું છે કે તમામ ખેડૂત સંગઠનો સાથે જોડાયેલા સંગત દિલ્હીના સીમાવર્તીમાં જ રહેશે. 


સશર્ત મુલાકાત પર નારાજગી
ખેડૂતોએ કહ્યું કે જે પ્રકારે દેશના ગૃહ સચિવની કાલે રાત્રે ચિઠ્ઠી આવી હતી અને તેમાં ગૃહમંત્રીના નિવેદનનો હવાલો આપતાં જે શરતો લગાવવામાં આવી છે તે સ્વિકાર્ય નથી. ખેડૂતોએ કહ્યું કે સરકારી શરતોમાં રસ્તા ખાલી કરો. બુરાડી આવો, ત્યારે અમે પરસ્પર વાત કરીશું આ પ્રકારની સશર્ત વાતચીતનો પ્રસ્તાવ ખેડૂતોએ ના મંજૂરી કરી દીધો છે. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube