નવી દિલ્હી: કૃષિ કાયદાને લઇને સરકાર અને પ્રદર્શન કરી રહેલા ખેડૂતો વચ્ચે ખેંચતાણ ચાલી રહી છે. એકતરફ ખેડૂતોએ સરકાર પર ફૂટ પાડવાનો આરોપ લગાવ્યો છે તો બીજી તરફ સરકારનું કહેવું છે કે ખેડૂતોના આંદોલનથી સામાન્ય જનતાને મુશ્કેલી થઇ રહી છે. કૃષિ મંત્રી નરેન્દ્ર સિંહ તોમર (Narendra Singh Tomar)એ કહ્યું કે ખેડૂતોનોની મુશ્કેલી પર વિગતવાર ચર્ચા થશે. 


તેમણે કહ્યું કે ખેડૂતો તરફથી જે વિષય આવશે તેનાપર ચર્ચા કરવામાં આવશે ત્યારબાદ જ કોઇ નિર્ણય લેવામાં આવશે. તેમણે કહ્યું કે 3 ડિસેમ્બરના રોજ યૂનિયનના લોકો આવશે તે આ મુદ્દાઓ પર ચર્ચા કરશે. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube