નવી દિલ્હીઃ IMD Forecasts About Heat Wave After February: આ વર્ષે ફેબ્રુઆરીમાં મે મહિનાની ગરમીનો અનુભવ થઈ ચૂક્યો છે. ભારતીય હવામાન વિભાગે જણાવ્યું છે કે 122 વર્ષ પછી, ફેબ્રુઆરી 2023 માં, વધતા પારાએ ભૂતકાળનો રેકોર્ડ તોડ્યો હતો. 1901 પછી તે સૌથી ગરમ ફેબ્રુઆરી મહિનો હતો. આગામી દિવસો માટે તાપમાન અને હવામાનને લઈને હવામાન વિભાગે કરેલી આગાહી પણ ભયાનક છે. વિભાગે ભારે ગરમીની આગાહી કરી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આવતા 3 મહિના બળી જશે
બ્લૂમબર્ગના રિપોર્ટ અનુસાર, આ વર્ષે ભારતમાં 1901 પછી ફેબ્રુઆરીમાં સૌથી વધુ ગરમીનો અનુભવ થયો છે.  હવામાન વિભાગના વરિષ્ઠ વૈજ્ઞાનિક એસ.સી. ભાણ (S.C. bhan) અનુસાર, હવામાન કચેરીએ માર્ચ, એપ્રિલ અને મે દરમિયાન દેશના મોટાભાગના ભાગોમાં તીવ્ર હીટવેવ આવવાની શક્યતા વ્યક્ત કરી છે.


આનાથી સ્પષ્ટ છે કે ભારતને આગામી મહિનાઓમાં ગરમ ​​હવામાનનો સામનો કરવો પડશે. ગત વર્ષની ગરમી આ વર્ષે ફરી યથાવત રહેશે તે ચિંતાનો વિષય છે. તેનાથી પાકને નુકસાન તો થશે જ, પરંતુ દેશના વીજળી નેટવર્ક પર વધુ દબાણ આવવાનો ભય છે.


આ પણ વાંચોઃ સાત આતંકીઓને ફાંસીની સજા, એકને આજીવન કેદ, એનઆઈએ કોર્ટનો ચુકાદો


આ વર્ષે ઘઉંનો પાક રેકોર્ડ સ્તરે પહોંચવાની ધારણા છે. આ કારણે, કૃષિ મંત્રાલયે ઘઉંના પાક પર ઉનાળાની ઋતુની અસર પર નજર રાખવા માટે એક પેનલની રચના કરી છે. પાછલા વર્ષે ભારતે એક સદી કરતા વધુ સમયમાં પોતાની સૌથી વધુ ગરમીનો સામનો માર્ચમાં કર્યો હતો. જેનાથી અનાજનો પાક સળગી ગયો અને સરકારે નિકાસ પર અંકુશ લગાવવો પડ્યો હતો. 


શા માટે યોગ્ય હવામાન પેટર્ન હોવી મહત્વપૂર્ણ છે
હવામાન વિભાગ અનુસાર, સમગ્ર દેશમાં મહત્તમ માસિક સરેરાશ તાપમાન 1901 પછી ફેબ્રુઆરીમાં સૌથી વધુ હતું. ઘઉંના પાક માટે માર્ચનું તાપમાન મહત્વનું છે. પાક હજુ પણ નબળી સ્થિતિમાં છે. બીજી તરફ, દ્વીપકલ્પના પ્રદેશ સિવાયના મોટાભાગના ભાગોમાં તાપમાન સામાન્ય કરતા વધુ રહેવાની શક્યતા છે.


લાંબા સમયથી સતત ગરમીને કારણે ભારતના ઘઉંના ઉત્પાદનમાં બીજા વર્ષે ઘટાડો થઈ શકે છે. આ સ્થાનિક ખાદ્યપદાર્થોના ખર્ચને નિયંત્રિત કરવાના પ્રયત્નોને નુકસાન પહોંચાડી શકે છે. વાસ્તવમાં ઘઉંના ઉત્પાદનમાં ચીન પછી ભારત બીજા ક્રમે છે. ઓછા ઉત્પાદનને કારણે વૈશ્વિક બજારમાં ઘઉંની અછત સર્જાઈ શકે છે. આને ધ્યાનમાં રાખીને, દેશ નિકાસ નિયંત્રણો ચાલુ રાખી શકે છે.


આ પણ વાંચોઃ કેજરીવાલે મનીષ સિસોદિયા વિરુદ્ધ રચ્યું ષડયંત્ર? અલ્કા લાંબાનો ચોંકાવનારો દાવો


હવામાનનો બદલાતો મિજાજ
ભારત જળવાયુ પરિવર્તન માટે સૌથી સંવેદનશીલ દેશોમાંનો એક છે. આત્યંતિક હવામાન પરિસ્થિતિઓ જેમ કે હીટવેવ્સ, ભારે પૂર અને ગંભીર દુષ્કાળ દર વર્ષે હજારો લોકોનો જીવ લે છે. આ સાથે, તે ચોમાસાનું પ્રભુત્વ ધરાવતો કૃષિ પ્રધાન દેશ ભારતમાં ઉત્પાદકતામાં ઘટાડો કરીને આર્થિક મુશ્કેલીઓમાં વધારો કરે છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube