મુંબઈઃ ફિલ્મ અભિનેત્રી કંગના રનૌત આ દિવસોમાં પોતાના નિવેદનને લઈને ચર્ચામાં છે. હાલમાં તેણે મહાત્મા ગાંધી અને સ્વતંત્રતા આંદોલનને લઈને વિવાદિત નિવેદન આપ્યું હતું. તેણે કિસાન આંદોલનને લઈને અન્નદાતાઓને કથિત રીતે ખાલિસ્તાની ગણાવ્યા હતા. તેના આ નિવેદનનો ખુબ વિરોધ થયો હતો. હવે તેના નિ વેદન વિરુદ્ધ મુંબઈમાં એફઆઈઆર દાખલ કરી લેવામાં આવી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પહેલા શીખોના એક સંગઠને બોલીવુડ અભિનેત્રી કંગના રનૌત વિરુદ્ધ પોતાના સોશિયલ મીડિયા પોસ્ટમાં શીખ સમુદાય વિરુદ્ધ અપમાનજનક ભાષાનો ઉપયોગ કરવાને લઈને એફઆઈઆર દાખલ કરવાની માંગ કરતા મુંબઈમાં એક ફરિયાદ નોંધાવી હતી. તેમણે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને પત્ર લખી કંગનાને આપવામાં આવેલ પદ્મશ્રી સન્માન પરત લેવાનો આગ્રહ કર્યો હતો. 


ઓડિશામાં સ્કૂલ-કોલેજમાં કોરોના વિસ્ફોટ, 53 વિદ્યાર્થિનીઓ અને  22 વિદ્યાર્થીઓ કોવિડ-19 પોઝિટિવ  


ખાલિસ્તાની આતંકવાદી..
ત્યારબાદ પોતાની ઇન્સ્ટા સ્ટોરીમાં કંગના રનૌતે આગળ લખ્યું- ખાલિસ્તાની આતંકવાદીઓ આજે ભલે સરકારના હાથ મરોડતા હોય, પરંતુ તે મહિલાને ભૂલશો નહીં. એકમાત્ર મહિલા પ્રધાનમંત્રીએ તેને પોતાના જૂતા નીચે કચડી નાખ્યા હતા. તેણે આ દેશને ગમે એટલી તકલીફ આપી હોય.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube