નવી દિલ્હીઃ નાગરિકતા કાયદા (CAA)નું સમર્થન અને વિરોધ કરનાર પ્રદર્શનકારીઓ વચ્ચે એકવાર ફરી હિંસા ભડકી છે. ઉત્તર પૂર્વ અને પૂર્વી દિલ્હીના ઘણા વિસ્તારમાં શરૂ થયેલી હિંસામાં પ્રદર્શનકારીઓએ ઘણા વાહનોમાં આગ લગાવી દીધી છે. ગોકુલપુરીમાં પથ્થરબાજી દરમિયાન એક હેડ કોન્સ્ટેબલનું મોત થયું છે. દિલ્હી પોલીસના સૂત્રો પ્રમાણે એસીપીના રીડર રતન લાલ (હેડ કોન્સ્ટેબલ)નું મોત થયું છે. શાહદરાના ડીસીપી અમિત શર્મા પણ ઈજાગ્રસ્ત થયા છે. અમિત શર્મા ભજનપુરા વિસ્તારમાં થયેલી હિંસા દરમિયાન ઈજાગ્રસ્ત થયા છે. આ મૌજપુરમાં હિંસા દરમિયાન આશરે 37 પોલીસકર્મીને ઈજા પહોંચી છે. ત્યારબાદ ભજનપુરાના એક પેટ્રોલ પંપ નજીક એક કારમાં આગ ચાંપવામાં આવી ત્યારબાદ પેટ્રોલ પંપ પણ આગની ઝપેટમાં આવી ગયો હતો.  આગને કાબુમાં લેવા માટે ફાયરની ગાડી પહોંચી તો પ્રદર્શનકારીઓએ તેમાં પણ તોડફોડ કરી દીધી હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

દિલ્હી પોલીસે મીડિયાના માધ્યમથી લોકોને અપીલ કરી છે કે, 'નોર્થ ઈસ્ટ ડિસ્ટ્રિક્ટના વિસ્તારમાં હિંસા અને આગના કેટલાક બનાવો બન્યા છે. ખાસ કરીને મૌજપુર, કર્દમપુરી, ચાંદ બાગ અને દયાલપુર વિસ્તારમાં શાંતિ જાળવી રાખવા માટે દિલ્હી અને ખાસ કરીને નોર્થ ઈસ્ટ ડિસ્ટ્રિક્ટના લોકોને અપીલ કરવામાં આવી છે. શાંતિ અને સદ્ભાવની અપીલ અને કોઈ ખોટી અફવા પર વિશ્વાસ કરવો નહીં. મીડિયાને પણ તે અપીલ કરવામાં આવી છે કે કોઈપણ મુશ્કેલી ઉભી કરનાર તસવીરોને પ્રસારિત ન કરે જે સ્થિતિને ગંભીર બનાવી શકે છે. દિલ્હી પોલીસ સ્થિતિને કાબુમાં લેવા માટે પ્રયાસ કરી રહી છે. નોર્થ ઈસ્ટ જિલ્લાના પ્રભાવિત વિસ્તારમાં કલમ 144 લાગૂ કરી દેવામાં આવી છે અને હિંસક પ્રદર્શનકારી અને અસામાજિક તત્વો વિરુદ્ધ આકરી કાર્યવાહી કરવામાં આવશે.'


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


દેશના સમાચાર જાણવા માટે કરો ક્લિક...