નવી દિલ્હી: બેંગ્લુરુમાં ચાલી રહેલા એરો ઈન્ડિયા શો 2019માં ભીષણ આગ લાગવાની ઘટના સામે આવી છે. કાર્યક્રમ સ્થળના પાસે પાર્કિંગ ક્ષેત્રમાં આજે ભીષણ આગ લાગી છે. પાર્કિંગ ક્ષેત્રમાં ઊભેલી અનેક કાર સહિતના વાહનો આ આગની ચપેટમાં આવી ગયા છે. હાલ ત્યાં અફરાતફરીનો માહોલ છે. એવું કહેવાય છે કે પાર્કિંગ પાસે સૂકા ઘાસમાં આગ લાગવાના કારણે આગ લાગી અને તે ઝડપથી ફેલાઈ. જોત જોતામાં તો પાર્કિંગમાં ઊભેલી 80થી 100 કારો આ આગની ચપેટમાં આવી ગઈ. અત્રે જમાવવાનું કે અગાઉ પણ એરો ઈન્ડિયા શોના ઉદ્ધાટન પહેલા એક મોટો અકસ્માત સર્જાયો હતો. જેમાં સાહિલ ગાંધી નામના પાઈલટે જીવ ગુમાવ્યો હતો. 


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...