નવી દિલ્હી: આંધ્ર પ્રદેશના વિશાખાપટ્ટનમમાં બંગાળની ખાડીમાં કાર્યરત એક શિપ પર સોમવારે અચાનક આગ લાગી ગઈ. થોડીવારમાં આગની જ્વાળાઓએ સમગ્ર શિપને પોતાની ચપેટમાં લઈ લીધુ. જે સમયે શિપ પર આગ લાગી તે સમયે શિપ પર 29 ક્રુ મેમ્બર્સ સવાર હતાં. આગ લાગ્યા બાદ તમામે ઊંડા સમુદ્રમાં છલાંગ લગાવી દીધી. ઘટના સ્થળે પહોંચેલા ઈન્ડિયન કોસ્ટ ગાર્ડે 29 લોકોને બચાવી લીધા. જ્યારે એક વ્યક્તિ હજુ ગુમ છે. તેની શોધ ચાલુ છે. આગની ઘટના સવારે 11.30 કલાકની છે. 


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...