નવી દિલ્હી: મહારાષ્ટ્રમાં ભારે વરસાદના પગલે હાહાકારની સ્થિતિ છે. મુંબઈમાં પણ મૂસળધાર વરસાદનાકરાણે જનજીવન ઠપ થયુ છે. રાજ્યના રાયગઢમાં  ભૂસ્ખલનની ચાર ઘટનાઓ સામે આવી છે. જેના કારણે રસ્તા જામ થયા છે. આ ઘટનામાં સ્થાનિક પોલીસે 15 લોકોને બચાવ્યા જ્યારે ઓછામાં ઓછા 30 લોકો હજુ પણ અંદર ફસાયેલા છે. આ દરમિયાન 5 લોકોના મોત થયા છે. વરસાદનાકારણે તલાઈ ગામ સુધી જતો રસ્તો ધોવાઈ ગયો છે. રાયગઢ જિલ્લા કલેક્ટર નિધિ ચૌધરીએ આ જાણકારી આપી. 


ગોવંડીમાં બિલ્ડિંગ તૂટી પડી
મુંબઈ પોલીસના જણાવ્યાં મુજબ મુંબઈના ગોવંડી વિસ્તારમાં બિલ્ડિંગ તૂટી પડતા 4 લોકોના મોત થયા છે. જ્યારે 11 લોકો ઈજાગ્રસ્ત થયા છે. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube