નવી દિલ્હી: વિદેશ મંત્રી એસ.જયશંકર અને ઈતિહાસકાર રામચંદ્ર ગુહા વચ્ચે ટ્વીટર પર સરદાર પટેલ અને નહેરુને લઈને શાબ્દિક યુદ્ધ છેડાઈ ગયું. વાત જાણે એમ છે કે વિદેશ મંત્રી એક જયશંકરે એક પુસ્તકના હવાલે ટ્વીટ કરી હતી કે નહેરુ 1947માં પોતાની કેબિનેટમાં પટેલને સામેલ કરવા માંગતા નહતાં અને કેબિનેટની પહેલી યાદીમાંથી તેમને બહાર પણ કરી દીધા હતાં. જો કે આ વાતને ગુહાએ મિથક ગણાવી દીધી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વિગતો એમ છે કે પૂર્વ બ્યુરોક્રેટ અને હાલના વિદેશમંત્રી એસ જયશંકર ઈતિહાસકાર નારાયણી બસુના વી પી મેનન પર લખેલા પુસ્તકનું વિમોચન કરવા પહોંચ્યા હતાં. આ કાર્યક્રમની તસવીર શેર કરતા જયશંકરે એક ટ્વીટમાં લખ્યું કે રાજકારણનો ઈતિહાસ લખવા માટે પ્રમાણિક હોવું જોઈએ. તેમણે આ ટ્વીટમાં પુસ્તકમાં મેનનના શબ્દોને ટ્વીટ કરતા લખ્યું છે કે 'જ્યારે સરદારનું નિધન થયું, ત્યારે તેમની સ્મૃતિઓને ભૂંસી નાખવા માટે મોટું અભિયાન શરૂ થયું. મને આ ખબર હતી, કારણ કે મેં આ જોયું હતું અને હું તે સમયે પોતાને પીડિત મહેસૂસ કરતો હતો.'


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


દેશના સમાચાર જાણવા માટે કરો ક્લિક...