નવી દિલ્હીઃ કોર્ટનું અપમાન કરવાના કેસમાં સીબીઆઈના પૂર્વ વચગાળાના નિર્દેશક નાગેશ્વર રાવને દોષિત ઠેરવવામાં આવ્યા છે. ચીફ જસ્ટિસે મંગળવારે સુનાવણી દરમિયાન નાગેશ્વર રાવને દોષીત ઠેરવ્યા હતા. સાથે જ તેમને સજા તરીકે આખો દિવસ કોર્ટમાં ઊભા રહેવાનો પણ આદેશ આપ્યો હતો. આ ઉપરાંત તેમને રૂ.1 લાખનો દંડ પણ ફટાકરાયો છે. સુપ્રીમ કોર્ટે તેમને અંગત રીતે હાજર રહેવાનો આદેશ આપ્યો હતો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સીબીઆઈ તરફથી એટોર્ની જનરલ કે.કે. વેણુગોપાલે દલીલો રજુ કરી હતી કે, નાગેશ્વર રાવે માફી માગી છે અને તેમણે જાણી જોઈને કોર્ટનું અપમાન કર્યું નથી.  ચીફ જસ્ટિસે નારાજગી વ્યક્ત કરતા જણાવ્યું કે, લીગલ એડવાઈઝરે જણાવ્યું હતું કે, એ.કે. શર્માની ટ્રાન્સફર કરતાં પહેલાં સુપ્રીમ કોર્ટમાં એફિડેવિટ દાખલ કરીને મંજૂરી માગવામાં આવે, પરંતુ એવું શા માટે કરાયું નહીં. 


પાકિસ્તાનને મળશે મોટો ખજાનો, સાઉદી અરબ આપશે 7,09,15,00,00,000 રૂપિયાની ભેટ


ચીફ જસ્ટિસ રંજન ગોગોઈએ નારાજગી સાથે જણાવ્યું કે, નાગેશ્વર રાવ સુપ્રીમ કોર્ટનો જૂનો આદેશ જાણતા હતા. એટલા માટે જ તેમણે લીગલ વિભાગ પાસે સલાહ માગી હતી અને લીગલ એડવાઈઝરે તેમને સલાહ આપી હતી કે એ.કે. શર્માની બદલી કરતાં પહેલાં સુપ્રીમ કોર્ટમાં એક એફિડેવીટ દાખલ કરીને મંજૂરી માગવાની રહેશે, તેમ છતાં તેમણે એવું કર્યું નથી. 


ગુજરાતનું ગૌરવ વધ્યું, 3 હિંસક પ્રાણીઓ ધરાવતું પહેલુ રાજ્ય બન્યું


ઉલ્લેખનીય છે કે, સર્વોચ્ચ અદાલતના આદેશનું ઉલ્લંઘન કરીને શર્માની એજન્સીથી બહાર બદલી કરવા માટે 7 ફેબ્રુઆરીના રોજ કોર્ટે સીબીઆઈને ઠપકો આપ્યો હતો અને રાવને 12 જાન્યુઆરીના રોજ વ્યક્તિગત રીતે કોર્ટ સમક્ષ હાજર થવા આદેશ આપ્યો હતો. શર્મા એ સમયે બિહારમાં બાલિકા ગૃહ કેસની તપાસ કરી રહ્યા હતા. 


ભારતના વધુ સમાચાર જાણવા અહીં કરો ક્લિક...