દિગ્ગજ રાજનેતા અને બિહારના પૂર્વ મુખ્યમંત્રી જગન્નાથ મિશ્રાનું નિધન
બિહારના પૂર્વ મુખ્યમંત્રી જગન્નાથ મિશ્રાનું નિધન થયું છે. તેઓ લાંબા સમયથી બીમાર હતાં. તેમની દિલ્હીની હોસ્પિટલમાં સારવાર ચાલુ હતી. જગન્નાથ મિશ્રા ત્રણવાર બિહારના મુખ્યમંત્રી રહી ચૂક્યા છે.
નવી દિલ્હી: બિહારના પૂર્વ મુખ્યમંત્રી જગન્નાથ મિશ્રાનું નિધન થયું છે. તેઓ લાંબા સમયથી બીમાર હતાં. તેમની દિલ્હીની હોસ્પિટલમાં સારવાર ચાલુ હતી. જગન્નાથ મિશ્રા ત્રણવાર બિહારના મુખ્યમંત્રી રહી ચૂક્યા છે.
જગન્નાથ મિશ્રા 1975થી 1977, 180થી 1983 અને 1989થી 1990ના સમયગાળામાં બિહારના મુખ્યમંત્રી રહ્યાં હતાં. લાંબા સમય સુધી જગન્નાથ મિશ્રા સક્રિય રાજકારણમાં રહ્યાં પરંતુ છેલ્લા કેટલાક સમયથી તેઓ રાજકારણથી દૂર હતાં.
જગન્નાથ મિશ્રા કોંગ્રેસના કદાવર નેતાઓમાંથી એક હતાં. ચારા કૌભાંડમાં પણ જગન્નાથ મિશ્રાનું નામ સંડોવાયું હતું. કોર્ટે તેમને દોષિત જાહેર કર્યા હતાં. કોર્ટે તેમના પર 20,000 રૂપિયા દંડ અને ચાર વર્ષની સજા સંભળાવી હતી. જો કે ત્યારબાદ મેડિકલ ગ્રાઉન્ડ પર તેમને જામીન મળ્યાં હતાં.
જુઓ LIVE TV