સિમલા: હિમાચલ પ્રદેશ (Himachal Pradesh) ના પૂર્વ મુખ્યમંત્રી અને કોંગ્રેસના દિગ્ગજ નેતા વીરભદ્ર સિંહનું 87 વર્ષની વયે લાંબી બીમારી બાદ નિધન થયું છે. પૂર્વ સીએમના નિધનની પુષ્ટિ ઈન્દિરા ગાંધી મેડિકલ કોલેજ અને હોસ્પિટલ (IGMC) સિમલાના મેડિકલ સુપ્રિટેન્ડેન્ટ ડો.જનક રાજે કરી. આ અગાઉ સોમવારે તેમને હાર્ટ એટેક આવ્યા બાદ ઈન્દિરા ગાંધી મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. 


હોસ્પિટલમાં વીરભદ્ર સિંહની તબિયત સતત બગડી રહી હતી. આ કારણે તેમને આઈસીયુમાં શિફ્ટ કરાયા હતા. વીરભદ્ર સિંહ અહીં વેન્ટિલેટર સપોર્ટ પર હતા. આ અગાઉ IGMC ના મેડિકલ સુપ્રીટેન્ડેન્ટ ડો. જનક રાજે બુધવારે કહ્યું હતું કે સિંહની હાલાત ગંભીર છે પરંતુ તે સ્થિર છે. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube