વૈશાલીઃ પૂર્વ કેન્દ્રીય મંત્રી અને રાષ્ટ્રીય જનતા દળ (RJD)ના વરિષ્ઠ નેતા રઘુવંશ પ્રસાદ સિંહ  (Raghuvansh Prasad Singh) પંચતત્વમાં વિલિન થઈ ગયા. સોમવારે સાંજે રઘુવંશ પ્રસાદ સિંહના રાજકીય સન્માન સાથે વૈશાલી જિલ્લાના મહનારમાં હસનપુર ઘાટ પર અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. પૂર્વ કેન્દ્રીય મંત્રીને અંતિમ વિદાય આપવા માટે અનેક નેતાઓ, કાર્યકર્તાઓ અને લોકો મોટી સંખ્યા ઉપસ્થિત રહ્યાં હતા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પહેલા સોમવારના દિવસે રઘુવંશ પ્રસાદ સિંહના પાર્થિવ શરીરને વૈશાલી લાવવામાં આવ્યું હતું. ત્યાં અંતિમ દર્શન માટે લોકોની ભીડ ઉમટી હતી. આ દરમિયાન શોકમાં ડૂબેલા લોકોએ 'જબ તક સૂરજ ચાંદ રહેગા રઘુવંશ સિંહ કા નામ રહેગા'ના નારા લગાવ્યા હતા. 


Zee News App ડાઉનલોડ કરોઅમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube