નવી દિલ્હીઃ G20 Summit 2022: સત્તાવાર સૂત્રોએ કહ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (Prime Minister Narendra Modi) ઈન્ડોનેશિયાના બાલીમાં પોતાના લગભગ 45 કલાકના પ્રવાસ દરમિયાન લગભગ 20 કાર્યક્રમ આયોજીત કરશે, જ્યાં તેઓ જી20 શિખર સંમેલનમાં ભાગ લેશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સોમવારે ઈન્ડોનેશિયામાં રવાના થશે પીએમ મોદી
સૂત્રોએ કહ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સોમવારે ઈન્ડોનેશિયાના બાલી શહેર માટે રવાના થશે, તેઓ લગભગ 10 વિશ્વ નેતાઓ સાથે દ્વિપક્ષીય બેઠક કરશે અને ઈન્ડોનેશિયામાં ભારતીય પ્રવાસીઓ સાથે જોડાવા માટે એક સામુદાયિક કાર્યક્રમમાં પણ સામેલ થશે. એક સત્તાવાર સૂત્રએ જણાવ્યું કે પ્રધાનમંત્રીનો બાલીનો વ્યસ્ત અને ફળદાયી પ્રવાસ હશે. 


ત્રણ મુખ્ય સત્રોમાં ભાગ લેશે પીએમ મોદી
વિદેશ સચિવ વિનય ક્વાત્રાએ જણાવ્યું કે પીએમ મોદી જી-20 શિખર સંમેલનમાં ત્રણ મુખ્ય સત્રો ખાદ્ય અને ઉર્જા સુરક્ષા, ડિજિટલમાં ભાગ લેશે. એક મીડિયા બ્રીફિંગમાં ક્વાત્રાએ કહ્યુ કે મોદી અને અન્ય નેતા વૈશ્વિક અર્થવ્યવસ્થા, ઉર્જા, પર્યાવરણ, ડિજિટલ પરિવર્તન વગેરે સંબંધિત મુદ્દા પર ચર્ચા કરશે. 


આ પણ વાંચોઃ ઉદયપુર-અમદાવાદ રેલવે ટ્રેક પર બ્લાસ્ટ, 13 દિવસ પહેલા PM મોદીએ કર્યું હતું ઉદ્ઘાટન


આ નેતાઓ જી20માં થશે સામેલ
શિખર સંમેલનમાં અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઇડેન, બ્રિટિશ પ્રધાનમંત્રી ઋષિ સુનક, ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમૈનુઅલ મૈક્રોં, જર્મન ચાન્સલર ઓલાફ સ્કોલ્ઝ અને ચીની રાષ્ટ્રપતિ શી જિનપિંગના સામેલ થવાની આશા છે. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube