નવી દિલ્હીઃ Gandhi Jayanti 2022: દર વર્ષે 2 ઓક્ટોબરે ગાંધી જયંતિની ઉજવણી કરવામાં આવે છે. આ દિવસે બાપુનો જન્મ પોરબંદરમાં થયો હતો. આ દિવસ બાપુને યાદ કરી તેમના પદચિન્હો પર ચાલવાનો છે. ગાંધીજી કહેતા હતા કે અહિંસા અને સત્યના માર્ગ પર ચાલનાર વ્યક્તિ મોટામાં મોટા વિઘ્નો પાર કરી શકે છે. અસત્ય શક્તિશાળી કેમ ન હોય, અંતમાં વિજય સત્યનો થાય છે. ગાંધીજીએ માત્ર સત્ય અને અહિંસાના માર્ગ પર ચાલીને દેશને અંગ્રેજોની ગુલામીમાંથી મુક્ત કરાવ્યો હતો. તેમના વિચાર આજે પણ યુવાઓ માટે પ્રેરણાદાયક છે, આવો ગાંધી જીની જન્મજયંતિ પર તેમના અણમોલ વિચારોને જાણીએ.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

1. તાકાત શારીરિક શક્તિથી નહીં, પરંતુ તે મજબૂત ઈચ્છા શક્તિથી આવે છે. 


2. આપણે જે કરીએ છીએ અને આપણે જે કરી શકીએ, તે વચ્ચેનું અંતર દુનિયાની મોટા ભાગની સમસ્યાઓના સમાધાન માટે પર્યાપ્ત હશે. 


3. તમારે માનવતામાં વિશ્વાસ ન ગુમાવવો જોઈએ. માનવતા એક સાગર સમાન હોય છે. સાગરનું કેટલુંક પાણી ખરાબ થઈ જાય પરંતુ આખો સમુદ્ર ગંદો હોતો નથી. 


4. આપણી નિર્દોષતા જેટલી વધારે છે, તેટલી મોટી આપણી શક્તિ અને આપણી જીત એટલી જ મજબૂત છે.


5. પૃથ્વી બધા મનુષ્યોની જરૂરીયાત પૂરી કરવા માટે પર્યાપ્ત સંસાધન પ્રદાન કરે છે, પરંતુ લાલચ પૂરી કરવા માટે નહીં. 


6. વિશ્વના બધા ધર્મો, ભલે અન્ય વસ્તુમાં અંતર રાખવા હોય, પરંતુ બધા તે વાત પર એકમત છે કે દુનિયામાં માત્ર સત્ય જીવિત રહે છે. 


7. તે શરીર છે જે તેના મિશન પર નિર્ધારિત ધ્યેય સાથે કામ કરે છે અને ક્યારેય બુઝાયેલ ઉત્સાહ નથી જે ઇતિહાસનો માર્ગ બદલી નાખે છે.


8. તમારી માન્યતાઓ તમારા વિચાર બની જાય છે, તમારા વિચાર તમારા શબ્દો બની જાય છે, તમારા શબ્દો તમારૂ કાર્ય બની જાય છે, તમારૂ કાર્ય તમારી આદત બની જાય છે, તમારા મૂલ્ય તમારી નીયતિ બની જાય છે. 


9. જ્યારે હું નિરાશ હોવ છું, હું યાદ કરી લઉં છું કે સમસ્ય ઈતિહાસ દરમિયાન સત્ય અને પ્રેમના માર્ગનો હંમેશા વિજય થાય છે. કેટલા પણ તાનાશાહ અને હત્યારા થયા છે અને કેટલાક સમય માટે તે અજેય લાગી શકે છે, પરંતુ અંતમાં તેનું પતન થાય છે. તેના વિશે હંમેશા વિચારો. 


10. ગમે તેવી પરિસ્થિતિ હોય ક્યારેય સત્યનો સાથ છોડવો નહીં. મુશ્કેલ પરિસ્થિતિમાં પણ હંમેશા સત્યની જીત થાય છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube