નવી દિલ્હી: મહારાષ્ટ્રમાં આજે સવારે નંદુરબાર સ્ટેશન પર એન્ટ્રી કરતી વખતે ગાંધીધામ-પુરી એક્સપ્રેસ ટ્રેનના પેન્ટ્રી કારમાં આગ લાગી ગઈ. ત્યારબાદ તરત જ ફાયરની ગાડીઓને બોલાવવામાં આવી. અધિકારીઓએ જણાવ્યું કે આગ પર કાબૂ મેળવી લેવાયો છે. પેન્ટ્રી કારને અલગ કરી દેવાયું છે. ગાડીમાં સવાર તમામ મુસાફરો સુરક્ષિત છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રેલવે તરફથી જારી નિવેદનમાં જણાવ્યું છે કે ગાંધીધામથી પુરી જઈ રહેલી ટ્રેન સંખ્યા 12993 ના પેન્ટ્રી કારમાં સવારે 10.35 વાગે આગ લાગી. આ ટ્રેનમાં કુલ 22 કોચ હતા. જેમાંથી 13મો કોચ પેન્ટ્રી કારનો હતો. મહારાષ્ટ્રના નંદુરબાર રેલવે સ્ટેશન પાસે આ આગ લાગી હતી. 


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube