હિન્દુ ધર્મમાં ગરુડ પુરાણનું પણ ખાસ મહત્વ છે. એવું કહેવાય છે કે ભગવાન વિષ્ણુએ ગરુડની જિજ્ઞાસાને શાંત કરવા માટે જે પણ જવાબ આપ્યા તેનો ઉલ્લેખ ગરુડ પુરાણમાં છે. જેમાં 19 હજારથી વધુ શ્લોક છે જેમાં પાપ અને પુષ્યનો ઉલ્લેખ કરાયો છે. આમ તો માણસ કર્મની જાળમાં જ ગૂંચવાયેલો છે. જેવા કર્મ તેવું તેણે ભોગવવું પડતું હોય છે. સારા કર્મો હોય તો સારું અને ખરાબ કર્મનું ફળ પણ એ જ રીતે ભોગવવાનો વારો આવે છે. ગરુડ પુરાણમાં એવી બે વાતનો ઉલ્લેખ કરાયો છે જે મુજબ જ્યારે સ્ત્રીઓ આ બે કામ કરતી હોય ત્યારે પુરુષોએ તેની તરફ જોવું જોઈએ નહીં. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જ્યારે સ્ત્રી બાળકને સ્તનપાન કરાવતી હોય
કોઈ પણ સ્ત્રી જ્યારે તેના નવજાત બાળકને સ્તનપાન કરાવતી હોય ત્યારે પુરુષોએ તે તરફ નજર કરવી જોઈએ નહીં. સ્તનપાન દ્વારા સ્ત્રી તેના ભૂખ્યા બાળકને ભોજન કરાવે છે. આહાર લેતી વખતે બાળક માસૂમ અને આવ અબોધ હોય છે. આવામાં દૂધ પીવડાવતી હોય ત્યારે સ્ત્રીના સ્તન તરફ નજર કરવી જોઈએ નહીં. ગરુડ પુરાણ મુજબ જો કોઈ પુરુષ આ વાત ન માનીને ખરાબ દાનતથી સ્ત્રી તરફ જુએ તો તે મોટા પાપનો  ભાગીદાર બને છે. આવા પાપી પુરુષે મરણોપરાંત નરકમાં ખુબ યાતના ભોગવવી પડે છે. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube