નવી દિલ્હીઃ પશ્ચિમ બંગાળ (West Bengal) માં ચૂંટણી પરિણામ બાદ થયેલી વ્યાપક હિંસાનો મામલો સુપ્રીમ કોર્ટ (Supreme Court) પહોંચી ગયો છે. અનેક જગ્યાએ હિંસાને લઈને સુપ્રીમ કોર્ટમાં જનહિત અરજી (PIL) દાખલ કરવામાં આવી છે. આ અરજીમાં કોર્ટ પાસે હિંસક ઘટનાઓની સીબીઆઈ તપાસ કરાવવાની માંગ કરવામાં આવી છે. રાજ્યના ઘટનાક્રમ પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પ્રદેશના રાજ્યપાલ  સાથે વાત કરતા ચિંતા વ્યક્ત કરી છે. તો રાજ્યમાં જારી રાજકીય હિંસા પર રાજ્યપાલ નજર રાખી રહ્યાં છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બળાત્કાર અને હત્યાના આરોપ
ભાજપના પ્રવક્તા ગૌરવ ભાટિયાએ સર્વોચ્ચ ન્યાયાલયમાં દાખલ પોતાની અરજીમા કહ્યુ કે, બંગાળની હિંસા દરમિયાન મહિલાઓ સાથે બળાત્કાર કરવામાં આવ્યો છે. ભાજપના કાર્યકર્તાઓ પર હુમલો કરવામાં આવ્યો અને તેને મારી નાખવામાં આવ્યા. તેથી કોર્ટે આ મામલામાં દખલ આપતા નિષ્પક્ષ તપાસના આદેશ આપવા જોઈએ. 


પ.બંગાળમાં TMC કાર્યકરોનો ઉત્પાત ચાલુ, હચમચાવી નાખતા Video સોશિયલ મીડિયામાં વાયરલ


અનેક જગ્યાએ થઈ હિંતા
ટીએમસી કાર્યકર્તાઓ અને સમર્થકો પર ગંભીર આરોપ લાગ્યા છે. તેઓ ભાજપના કાર્યકર્તાઓની હત્યા કરી રહ્યાં છે. રાજ્યમાં ઓડિશાપારા, કૂચબિહાર, સમસપુર, પુરબા વર્ધમાન સહિત અનેક જગ્યાએ હિંસા થઈ છે. તો આરામબાગમાં ભાજપની ઓફિસમાં આગ લગાવવામાં આવી છે. હિંસા બાદ કેન્દ્રીય ગૃહ મંત્રાલયે રાજ્ય સરકાર પાસે રિપોર્ટ માંગ્યો છે. 
 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube