નવી દિલ્હી: જમ્મુ અને કાશ્મીર (Jammu Kashmir)માંથી કલમ 370 હટાવ્યાં બાદ રાજ્યને બે અલગ કેન્દ્ર શાસિત પ્રદેશોમાં ફેરવી દેવામાં આવ્યાં. હવે આ બંને કેન્દ્રશાસિત પ્રદેશો માટે નવા ઉપરાજ્યપાલની નિમણૂંક કરવામાં આવી છે. જેમાં ગિરીશચંદ્ર મુર્મુને જમ્મુ અને કાશ્મીરની જ્યારે રાધાકૃષ્ણ માથુરને લદાખની જવાબદારી સોંપાઈ છે. રાધાકૃષ્ણ માથુર લદાખના પહેલા ઉપ રાજ્યપાલ હશે. આ બંને વરિષ્ઠ બ્યુરોક્રેટને મોદી સરકારે બહુ સમજી વિચારીને આ મહત્વની જવાબદારી સોંપી છે. આવો જાણીએ જમ્મુ અને કાશ્મીર તથા લદાખના લેફ્ટેનન્ટ ગવર્નર તરીકે શાં માટે આ બંને અધિકારીઓની જ પસંદગી થઈ.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

PICS અયોધ્યા: દિવાળી પર રેકોર્ડ બનવાની તૈયારી, 5,51,000 દિવડા પ્રગટાવવામાં આવશે, જાણો ખાસ વાતો


ગિરીશચંદ્ર મુર્મુ (Girish Chandra Murmu)
ગિરીશચંદ્ર મુર્મુ મૂળ ઓડિશાના રહીશ છે. તેઓ 1985 બેચના ગુજરાત કેડરના આઈએએસ અધિકારી છે અને પીએમ નરેન્દ્ર મોદીના મુખ્યમંત્રી તરીકેના કાર્યકાળ દરમિયાન મુખ્ય સચિવ રહી ચૂક્યા છે. તેઓ અત્યારે નાણા મંત્રાલયમાં ખર્ચ વિભાગના સચિવ હતા. નવેમ્બર 1959માં જન્મેલા મુર્મુએ રાજનીતિક વિજ્ઞાનમાં પરાસ્નાતક સાથે એમબીએ પણ કર્યું છે. મુર્મુને પીએમ મોદીના નીકટના વિશ્વાસુ ગણવામાં આવે છે. મોદીના કાર્યકાળ દરમિયાન તેમને ગુજરાતમાં મહત્વની જવાબદારીઓ મળેલી હતી. 


જુઓ LIVE TV


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...