Goa Politics: ગોવાના પૂર્વ મુખ્યમંત્રી દિગંબર કામત સહિત કોંગ્રેસના આઠ ધારાસભ્ય બુધવારે સત્તાધારી પક્ષ ભાજપમાં જોડાઈ ગયા. કોંગ્રેસ માટે આ મોટો ઝટકો ગણવામાં આવી રહ્યો છે. 40 સભ્યોવાળી ગોવા વિધાનસભામાં કોંગ્રેસના સભ્યોની સંખ્યા ઘટીને હવે માત્ર 3 રહી ગઈ છે. ભગવો ધારણ કરનારા નેતાઓમાં હાલના સમયમાં વિપક્ષના નેતા માઈકલ લોબો પણ સામેલ છે. હવે દિગંબર કામતે ભાજપમાં જોડાવા પાછળના કારણનો જે ખુલાસો કર્યો છે તે અજીબોગરીબ છે. તેમના જણાવ્યાં મુજબ તેઓ ભગવાનને પૂછીને ભાજપમાં જોડાયા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ન્યૂઝ એજન્સી એએનઆઈ તરફથી એક વીડિયો શેર કરાયો છે જેમાં કામત કહે છે કે, 'હું મંદિર ગયો અને દેવી દેવતાઓને પૂછ્યું કે મારા મગજમાં આ (ભાજપમાં જોડાવવાનું) ચાલી રહ્યું છે. મારે શું કરવું જોઈએ...ભગવાને કહ્યું, આગળ વધો અને ચિંતા ન કરો.'


Lakhimpur Kheri: બે સગી બહેનોની હત્યા મામલે તમામ 6 આરોપીની ધરપકડ, પોલીસે જણાવ્યું હત્યાનું કારણ


ગોવામાં 40 વિધાનસભ્યોવાળી વિધાનસભામાં વિપક્ષના નેતાના પદ માટે કોઈ પણ પાર્ટી પાસે ઓછામાં ઓછા 4 ધારાસભ્યો હોવા જરૂરી છે. આમ આદમી પાર્ટીના બે ધારાસભ્ય છે. જ્યારે ગોવા ફોરવર્ડ પાર્ટી અને રિવોલ્યુશનરી ગોવા પાર્ટીના એક-એક ધારાસભ્ય છે. બીજી બાજુ કોંગ્રેસે ગોવામાં પોતાના આઠ ધારાસભ્યોને ભાજપમાં સામેલ થયા બાદ આરોપ લગાવ્યો કે ભારત જોડો યાત્રાની સફળતાથી ભાજપ હતાશ છે અને આ યાત્રાથી ધ્યાન ભટકાવવા માટે ઓપરેશન કીચડ ચલાવવામાં આવ્યું. 


આ ધારાસભ્યોએ છોડ્યો સાથ
ગોવામાં કોંગ્રેસનો હાથ છોડનારા જે આઠ ધારાસભ્યો છે તેમાં દિગંબર  કામત, માઈકલ લોબો, ડિલિલા લોબો, રાજેશ ફલદેસાઈ, કેદાર નાઈક, સંકલ્પ અમોનકર, એલિક્સિયો સિક્વેરા અને રુડોલ્ફ ફર્નાન્ડિસ સામેલ છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube