Free Ration Scheme: રાશનકાર્ડના લાભાર્થીઓ માટે સારા સમાચાર સામે આવ્યા છે. જો તમે પણ ફ્રી રાશન યોજનાનો લાભ લો છો, તો હવે સરકાર તમારા માટે વધુ એક ખાસ યોજના બનાવી રહી છે, જેના હેઠળ તમને ઘઉં, ચોખા અને અન્ય વસ્તુઓ મફતમાં આપવામાં આવશે. આ સાથે અન્ય વસ્તુઓ પણ તમને ખુબ જ ઓછી કિંમતે ઉપલબ્ધ કરાવવામાં આવશે. લાખો પરિવારોને મળશે ફાયદો


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ખાદ્ય મંત્રી પાસેથી મળેલી માહિતી મુજબ કેન્દ્ર સરકાર તેમજ રાજ્ય સરકાર દ્વારા અનેક સુવિધાઓ આપવામાં આવે છે. આ શ્રેણીમાં, ઉત્તરાખંડ સરકાર ઓછા ભાવે ખાંડ અને મીઠું ઉપરાંત 23 લાખ પરિવારોને મફત રાશન આપવાનું આયોજન કરી રહી છે. આ યોજના માટે બજેટ પ્રસ્તાવ પણ તૈયાર કરવામાં આવ્યો છે. તેને કેબિનેટમાં રજૂ કરવામાં આવશે. આ યોજના લાગુ કર્યા પછી, રાજ્યને લગભગ 65 લાખ કરોડ રૂપિયાનો વધારાનો ખર્ચ આવશે. 


તમામ જરૂરી સામાન ગરીબોને થશે ઉપ્લબ્ધ-
Free Ration Scheme: મીડિયાને માહિતી આપતા ખાદ્ય મંત્રીએ કહ્યું કે વર્ષ 2023માં કેન્દ્ર સરકારે દેશભરના પરિવારોને મફત રાશન આપવાનો નિર્ણય કર્યો છે. લાભાર્થીઓને આખું વર્ષ મફત રાશનનો લાભ મળશે. તમને જણાવી દઈએ કે ખાંડ પર 10 રૂપિયા પ્રતિ કિલો સબસિડી આપવાનું સૂચન કરવામાં આવ્યું છે. આમાં રૂ.15 સુધીનો વધારો થઈ શકે છે. આ સાથે રાજ્ય સરકારે માહિતી આપતા કહ્યું છે કે જે કાર્ડ ધારકો છેલ્લા 6 મહિનાથી તેમના કાર્ડ પર રાશન નથી લઈ રહ્યા તેમના કાર્ડ રદ કરી શકાય છે.