નવી દિલ્હી: કોરોના વાયરસ (coronavirus) સામે લડતા દેશભરમાં આરોગ્ય કર્મચારીઓ પર હુમલો કરનારા લોકોની હવે ખેર નથી. મોદી સરકારે (Modi Govt) એક વટહુકમ લાવ્યો છે, જે મુજબ મેડિકલ ટીમ (Medical Team) પર હુમલો કરવાના દોષીઓને 3 મહિનાથી 5 વર્ષ સુધીની સજા કરવામાં આવશે. આટલું જ નહીં, જો મેડિકલ ટીમ ઉપર ગંભીર હુમલો થાય છે, તો સજા 6 મહિનાથી 7 વર્ષ સુધીની રહેશે. સરકારે સ્પષ્ટ કર્યું છે કે, જો કોઈ ડોક્ટરની ગાડી અથવા ક્લિનિક પર હુમલો કરવામાં આવે છે, તો બજારભાવથી બમણા વળતર લેવામાં આવશે. કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકર (Prakash Javadekar) એ આ માહિતી આપી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વડા પ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં કેન્દ્રીય કેબિનેટની એક બેઠક મળી હતી, જેમાં સરકારે વટહુકમ દ્વારા નિર્ણય કર્યો હતો. કેબિનેટમાં લીધેલા નિર્ણયો વિશે માહિતી આપતાં પ્રકાશ જાવડેકરે જાહેરાત કરી હતી કે દેશમાં આરોગ્ય કર્મચારીઓ ઉપર હુમલો સહન કરવામાં આવશે નહીં. આરોગ્ય કર્મચારીઓ પર હુમલો એ બિનજામીનપાત્ર ગુનો માનવામાં આવશે.


સરકારે આરોગ્ય કર્મચારીઓ પર હુમલો કરવા અંગે વટહુકમ લાવ્યો છે. કેન્દ્રીય મંત્રી જાવડેકરે કહ્યું કે રાષ્ટ્રીય મહામારી કાયદા હેઠળ એક વટહુકમ લાગુ કરવામાં આવશે, જે હેઠળ ડોકટરો પર હુમલો કરવો બિનજામીનપાત્ર ગુનો હશે. 30 દિવસમાં તપાસ પૂર્ણ કરવામાં આવશે. ચુકાદો એક વર્ષમાં આવશે અને સજા એટલે કે 3 મહિનાથી 5 વર્ષની સજા થઈ શકે છે. 50 હજાર થી 2 લાખ સુધીની દંડ લાદવામાં આવી શકે છે.


10 પોઇન્ટમાં સમજો:
1. મેડિકલ ટીમ પર હુમલો કરનારાઓને કડક સજા મળશે.
2. તબીબી ટીમ પર હુમલો એ બિનજામીનપાત્ર ગુનો હશે.
3. આ હુમલાને લગતા નિર્ણયો 1 વર્ષમાં નક્કી કરવામાં આવશે.
4. ગુનેગારોને 3 મહિનાથી 5 વર્ષની સજા મળશે.
5. હુમલોના ગંભીર ગુનામાં 6 મહિનાથી 7 વર્ષ સુધીની સજા.
6. પીડિતને 50 હજારથી 2 લાખ વળતરની જોગવાઈ છે.
7. હુમલો કરનારાઓને 1 લાખથી 7 લાખ રૂપિયા દંડ થશે.
8. ડોકટરો ઉપર હુમલો કરીને તોડફોડ કરનારાઓને સજા.
9. વાહનો અને ક્લિનિક્સને નુકસાન માટે ડબલ નુકસાન.
10. સરકારે આરોગ્ય કર્મચારીઓ પર વટહુકમ લાવ્યો.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube