નવી દિલ્હી; મહારાષ્ટ્ર(Maharashtra)માં સરકાર બનાવતા પહેલા કોંગ્રેસ(Congress) પાર્ટી ધર્મનિરપેક્ષતા પર શિવસેના (Shivsena) પાસેથી વચન ઈચ્છે છે. સૂત્રોના જણાવ્યાં મુજબ કોંગ્રેસ, શિવસેના પાસેથી કટ્ટર હિન્દુત્વ (Hindutva) છબીની જગ્યાએ સોફ્ટ હિન્દુત્વ અપનાવવાનું વચન ઈચ્છે છે.  આ બધા વચ્ચે 17 તારીખે દિલ્હીમાં કોંગ્રેસ અને NCPના નેતાઓની એક બેઠક થશે. જેમાં શિવસેના સાથે જવા માટેની શરતો પર ચર્ચા થશે. ત્યારબાદ કોંગ્રેસ, શિવસેના અને એનસીપીના વરિષ્ઠ નેતાઓની મુલાકાત થશે જેમાં સરકરા બનાવવા અને ધર્મનિરપેક્ષતા (Secularism) પર શિવસેનાની પ્રતિબદ્ધતા અંગેની વાત થશે. સૂત્રોના જણાવ્યાં મુજબ શિવસેના જો કમિટમેન્ટ આપશે તો જ મહારાષ્ટ્રમાં શિવસેના, NCP અને કોંગ્રેસની સરકાર  બનશે. આજે સાંજ સુધીમાં કોંગ્રેસનું પ્રતિનિધિમંડળ સોનિયા ગાંધીને મહારાષ્ટ્રમાં સરકાર બનાવવા અને એનસીપી સાથે થયેલી વાતચીત અંગેનો રિપોર્ટ સોંપશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

'Rafale Dealમાં ભ્રષ્ટાચાર એ ભારતના ઈતિહાસમાં સૌથી મોટા ફેક ન્યૂઝ છે' તથ્યો જાણવા જુઓ આજે રાતે DNA


ક્યાં કારણે મહારાષ્ટ્રમાં ન બની એક પણ પક્ષની સરકાર, જુઓ X-Ray..આ વીડિયો ખાસ જુઓ


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube