નવી દિલ્હીઃ કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે હોમ આઈસોલેશનમાં રહેતા હળવા લક્ષણ કે લક્ષણ વગરના દર્દીઓ માટે સંશોધિત દિશા-નિર્દેશ જાહેર કર્યા છે. તેમાં કહેવામાં આવ્યું છે કે હોમ આઈસોલેશનમાં 10 સુધી રહેવા અને સતત ત્રણ દિવસ સુધી તાવ ન આવવાની સ્થિતિમાં દર્દી હોમ આઈસોલેશનથી બહાર આવી શકે છે અને તે સમયે ટેસ્ટિંગની જરૂર નથી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

દિશા નિર્દેશો પ્રમાણે સ્વાસ્થ્ય અધિકારી દ્વારા દર્દીની સ્થિતિને હળવા કે લક્ષણ વગરના કેસ નક્કી કરવો જોઈએ. તેવા કેસમાં દર્દીઓના સેલ્ફ આઇસોલેશનની તેના ઘર પર વ્યવસ્થા હોવી જોઈએ. તેવા દર્દી જે રૂમમાં રહે છે તેના ઓક્સિજન સૈચુરેશન પણ 94થી વધુ રહેવી જોઈએ અને તેમાં વેન્ટિલેશનની સારી વ્યવસ્થા હોવી જોઈએ. લક્ષણો વગરના દર્દીઓના સંક્રમિત થવાની પુષ્ટિ પ્રયોગશાળામાં તપાસ બાદ કરવી જોઈએ. 


દર્દી માટે દરેક સમયે દેખરેખ રાખનાર ઉપસ્થિત હોવા જોઈએ અને હોમ આઈસોલેશન દરમિયાન કેયરટેકર તથા હોસ્પિટલ વચ્ચે સંવાદ જારી રહેવો જોઈએ. 60 વર્ષથી વધુ ઉંમરના લોકો અને તણાવ, ડાયાહિટીસ, હાર્ટ સમસ્યા, ક્રોનિક લંગ/લીવર/કીડની રોગ વગેરે કેસમાં કોરોના સંક્રમણની સ્થિતિમાં ચિકિત્સાધિકારી યોગ્ય રીતે દર્દીના સ્વાસ્થ્યની યોગ્ય તપાસ કર્યા બાદ હોમ આઈસોલેશનની મંજૂરી આપશે. 


દેશમાં ક્યારે લાગશે Corona ની ગતિ પર બ્રેક? જાણીતા વાયરોલોજિસ્ટે જણાવી તારીખ


તાવ નિયંત્રિત કરવા માટે પેરાસીટામોલ 650 એમજી લો
જો તાવ નિયંત્રિત થઈ રહ્યો નથી તો પેરાસીટામોલ 650 એમસી દિવસમાં ચાર વાર લઈ શકો છો. તેમ છતાં તાવ નિયંત્રણમાં આવતો નથી તો ડોક્ટરનો સંપર્ક કરી શકો છો નોપ્રોક્સેન 250 એમજી જેવી નોન-સ્ટેયરોયડલ એન્ટી-ઇંફ્લેમેટરી ડ્રગ દવાઓ દિવસમાં બે વાર આપી શકે છે. 


આઇવરમેક્ટિન ટેબલેટ પણ લઈ શકો છો
દિશાનિર્દેશોમાં કહેવામાં આવ્યું છે કે આવા દર્દી ત્રણથી પાંચ દિવસ માટે આઇવરમેક્ટિન (200 એમસીજી/કિગ્રા) ટેબલેટ દિવસમાં એક વાર લઈ શકે છે. પાંચ દિવસથી વધુ તાવ/શરદી રહેવા પર ઇંહેલર દ્વારા ઇન્હેલેશન બૂડેસોનાઇટ દિવસમાં બે વાર 800 એમસીજીના ડોઝ આપી શકે છે. 


ઘરમાં રેમડેસિવિર લેવાની ના
રેમડેસિવિર ઇન્જેક્શન માત્ર અને માત્ર હોસ્પિટલમાં આપી શકાશે અને તેને ઘરે લેવાનો પ્રયાસ કરવામાં આવે નહીં. 


દેશના અન્ય સમાચારો વાંચવા અહીં ક્લિક કરો


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube