નવી દિલ્હીઃ આત્મનિર્ભર ભારત અભિયાનના ભાગરૂપે સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે સોમવારે ઘરેલું સંરક્ષણ ઉદ્યોગને વેગ આપવા માટે 108 લશ્કરી શસ્ત્રો અને ઉપકરણોની આયાત પર પ્રતિબંધ મૂક્યો છે. આ વસ્તુઓમાં સિસ્ટમો અને એક્સેસરીઝનો સમાવેશ થાય છે જેમ કે નેક્સ્ટ-જનરેશન કર્વેટ્સ, એરબોર્ન પ્રારંભિક ચેતવણી સિસ્ટમ્સ, ટાંકી એન્જિન્સ અને રડાર્સ.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઉલ્લેખનીય છે કે સરકારે પાછલા વર્ષે આ પ્રકારની રક્ષા સંબંધી 101 વસ્તુઓની આયાત બંધ કરવા માટે પ્રથમ નકારાત્મક યાદી (નેગેટિવ લિસ્ટ) જાહેર કરી હતી. અધિકારીઓએ કહ્યું કે, બીજી યાદીમાં સામેલ 108 બીજી યાદીમાં સામેલ 108 વસ્તુઓની આયાત પર પ્રતિબંધ ડિસેમ્બર 2021થી ડિસેમ્બર 2025ના સમયગાળામાં પ્રભાવી થશે. રક્ષા મંત્રાલય દ્વારા રાજ્યની માલિકીની અને ખાનગી સંરક્ષણ ઉત્પાદક ઉદ્યોગ સંસ્થાઓ સાથેના અનેક તબક્કાની સલાહ બાદ આ સૂચિ તૈયાર કરવામાં આવી છે.


સંરક્ષણ આયાત માટેની ચીજવસ્તુઓની પ્રથમ નકારાત્મક સૂચિમાં ટુ-ફાયર ઓટોમેટિક ગન, ટૂંકી-અંતરની સપાટીથી હવાઈ મિસાઇલો, ક્રુઝ મિસાઇલો, ફશોર પેટ્રોલિંગ જહાજો, ઇલેક્ટ્રોનિક લડાઇ પ્રણાલી,  મિસાઇલ વહાણો, ફ્લોટિંગ એન્ટિ-સબમરીન રોકેટ  અને લોંચર્સનો સમાવેશ થાય છે.


આ પણ વાંચોઃ મોડર્ન મેડિકલ સાયન્સનું સન્માન, વિવાદ સમાપ્ત કરવા ઈચ્છુ છુંઃ રામદેવ


રક્ષા મંત્રાલયના અધિકારીઓએ જણાવ્યું કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના આત્મનિર્ભર ભારતના પ્રયાસનું અનુસરણ અને ક્ષેત્રમાં સ્વદેશીકરણને પ્રોત્સાહન આપવા માટે રક્ષા મંત્રી રાજનાથ સિંહે સૈન્ય મામલાના વિભાગના 108 વસ્તુઓની બીજી સકારાત્મક સ્વદેશીકરણ યાદીને જાહેર કરવાના પ્રસ્તાવને મંજૂરી આપી છે. મંત્રાલયે કહ્યું કે, 108 વસ્તુઓને હવે રક્ષા અધિગ્રહણ પ્રક્રિયા (ડીએપી) 2020ની જોગવાઈઓ અનુસાર સ્વદેશી સ્ત્રોતો પાસેથી ખરીદવામાં આવશે. 


નોંધનીય છે કે સરકારે સ્થાનિક સંરક્ષણ ઉદ્યોગને વેગ આપવા માટે છેલ્લા કેટલાક વર્ષોમાં અનેક પગલાં લીધાં છે. સંરક્ષણ મંત્રાલયની નવી સંરક્ષણ પ્રાપ્તિ નીતિ 2025 સુધીમાં સંરક્ષણ ઉત્પાદનમાં રૂ. 1.75 લાખ કરોડ (25 અબજ ડોલર) નું ટર્નઓવર થવાનું અનુમાન છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube