Central government scheme for farmers: કેન્દ્ર સરકાર ખેડૂતોને આર્થિક મદદ કરવા માટે અનેક મહત્વપૂર્ણ યોજનાઓ ચલાવી રહી છે. જેમાં કેટલીક યોજનાઓ તો એવી પણ છે જેમાં સરકાર સીધા ખાતામાં પૈસા જમા કરાવે છે. આ યોજનાઓનો લાભ ઉઠાવીને ખેડૂતો પોતાની ઘણી બધી જરૂરિયાતો પૂરી કરી શકે છે. સરકાર તરફથી ખેડૂતો માટે ચલાવવામાં આવતી 5 મહત્વની યોજનાઓ વિશે જાણો, જે ખેડૂતો માટે ખુબ ફાયદાકારક છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કિસાન ક્રેડિટ કાર્ડ
કિસાન ક્રેડિટ કાર્ડ કેન્દ્ર સરકારની એક એવી સ્કિમ છે જેનાથી ખેડૂતોને સમયસર કરજ મળે છે. જેનો હેતુ ખેડૂતોને યોગ્ય સમયે ઓછી મુદ્દત માટે કરજ ઉપલબ્ધ કરાવવાનો હતો. તેની શરૂઆત નેશનલ બેંક ફોર એગ્રીકલ્ચર એન્ડ રૂરલ ડેવલપમેન્ટ (NABARD) એ કરી હતી. અત્રે જણાવવાનું કે પીએમ કિસાન ક્રેડિટ કાર્ડને હવે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના (PM-KISAN) ની સાથે લિંક કરી દેવાયું છે. કિસાન KCC થી 3 લાખ રૂપિયા સુધીની લોન 4 ટકા વ્યાજ પર મળી શકે છે. બીજી બાજુ પીએમ કિસાનના લાભાર્થી માટે કેસીસી માટે અરજી કરવી વધુ સરળ પણ થઈ ગઈ છે. 


પ્રધાનમંત્રી પાક વીમા યોજના
ખેડૂતોને વરસાદ, આંધી તોફાન, કરાવૃષ્ટિ, ભૂકંપ જેવી કુદરતી આફતોમાં પાકને થયેલા નુકસાનથી રાહત પહોંચાડવા માટે પ્રધાનમંત્રી પાક વીમા યોજનાની શરૂઆત કરવામાં આવી હતી. પીએમએફબીવાય હેઠળ સરેરાશ રકમ વધારીને 40,700 રૂપિયા કરવામાં આવી જે પીએમએફબીવાયથી પૂર્વની યોજનાઓ દરમિયાન પ્રતિ હેક્ટર 15100 રૂપિયા હતી. યોજનામાં વાવણીથી લઈને લલણી બાદના સમગ્ર ચક્રને સામેલ કરાયું છે. જેમાં રોકવામાં આવેલી વાવણી અને પાક વચ્ચે ખરાબ હાલાતથી થતા નુકસાન પણ સામેલ છે. 


પ્રધાનમંત્રી જનધન યોજના
પીએમ જનધન યોજના હેઠળ ગરીબોના ખાતા ઝીરો બેલેન્સ પર બેંક, પોસ્ટ ઓફિસ અને રાષ્ટ્રીયકૃત બેંકોમાં ખોલવામાં આવે છે. સરકારના મહત્વકાંક્ષી નાણાકીય પ્રોગ્રામમાનો એક આ પ્રોગ્રામ છે. તે હેઠળ ગરીબ વ્યક્તિ સરળતાથી બેંકમાં ખાતું ખોલાવી શકે છે. આ યોજના હેઠળ ખોલવામાં આવેલા એકાઉન્ટમાં એકાઉન્ટ  હોલ્ડરને કુલ 1.30 લાખ રૂપિયાનો લાભ મળે છે. આ ઉપરાંત અકસ્માત વીમો પણ મળે છે. એકાઉન્ટ હોલ્ડરને એક લાખ રૂપિયાનો અકસ્માત વીમો અને સાથે 30,000 રૂપિયાનો જનરલ વીમો પણ મળે છે. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube