નવી દિલ્હીઃ ભારતીય વાસુ સેનાનું એમઆઈ -17V5 હેલીકોપ્ટર બુધવારે તમિલનાડુના કુન્નૂરમાં ક્રેશ થઈ ગયું. દુર્ઘટનામાં સીડીએસ જનરલ બિપિન રાવત (CDS Bipin Rawat) અને તેમના પત્ની મધુલિકા રાવત (Madhulika Rawat) સહિત 13 લોકોના નિધન થયું છે. ગ્રુપ કેપ્ટન વરૂણ સિંહ આ હેલીકોપ્ટર દુર્ઘટનાના એકમાત્ર સર્વાઈવર છે. ગ્રુપ કેપ્ટન વરૂણ સિંહ સ્થિતિ ગંભીર છે અને તેમની સારવાર ચાલી રહી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ વર્ષે મળ્યું હતું શૌર્ય ચક્ર
ગ્રુપ કેપ્ટન વરૂણ સિંહ (Gp Capt Varun Singh) નું આ વર્ષે સ્વતંત્રતા દિવસ પર શૌર્ય ચક્રથી સન્માન કરવામાં આવ્યુ હતું. તેમને આ સન્માન 2020માં એક હવાઈ ઇમરજન્સી દરમિયાન પોતાના એલસીએ તેજસ લડાકૂ વિમાનને બચાવવા માટે મળ્યુ હતું. એરફોર્સ દ્વારા આપવામાં આવી રહેલી જાણકારી પ્રમાણે ગ્રુપ કેપ્ટન વરૂણ સિંહની સારવાર વર્તમાનમાં વેલિંગટનની સૈન્ય હોસ્પિટલમાં ચાલી રહી છે. 


દેશ તમારૂ યોગદાન ભૂલશે નહીં... CDS રાવતના નિધન પર PM મોદીએ વ્યક્ત કર્યુ દુખ


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube